Home /News /rajkot /Rajkot: LRD-PSI ભરતી કૌભાંડ, વધુ બે આરોપી નિલેશ મકવાણા અને આરીફ સિદ્દીકી ઝડપાયા
Rajkot: LRD-PSI ભરતી કૌભાંડ, વધુ બે આરોપી નિલેશ મકવાણા અને આરીફ સિદ્દીકી ઝડપાયા
સફેદ સર્ટમાં આરીફ સિદ્દીકી અને ચેક્સ સર્ટમાં નિલેશ મકવાણા
rajkot latest news: ગાંધીગ્રામ પોલીસ (Gandhigram police) દ્વારા આજરોજ મૂળ ગાજીયાબાદના આરીફ ભાઈ સિદ્દીકી અને રાજકોટના રેલનગર (Rajkot railnagar) વિસ્તારમાં રહેતા નિલેશ ભાઈ નાના ભાઈ મકવાણા નામના બ્રોકરની ધરપકડ કરી છે.
રાજકોટઃ રાજકોટ શહેરની (Rajkot city) ગાંધીગ્રામ પોલીસ (Gandhigram police) દ્વારા એલ. આર. ડી - પીએસઆઇની પરીક્ષા મામલે ચાલતું ભરતી કૌભાંડ (bharti scam) ઝડપી પાડવામાં આવ્યું છે. ગાંધીગ્રામ પોલીસ દ્વારા આજરોજ મૂળ ગાજીયાબાદના આરીફ ભાઈ સિદ્દીકી અને રાજકોટના રેલનગર (Rajkot railnagar) વિસ્તારમાં રહેતા નિલેશ ભાઈ નાના ભાઈ મકવાણા નામના બ્રોકરની ધરપકડ કરી છે. આવતીકાલે આ બંને આરોપીઓને ગાંધીગ્રામ પોલીસ (Gandhigram police) દ્વારા રીમાન્ડના કામે રજૂ કરવામાં આવશે. જ્યારે કે અગાઉ ક્રિષ્ના ભરડવા અને જેનીસ પરસાણાની ધરપકડ કરવામાં આવી હતી. તે બન્ને આરોપીઓના રિમાન્ડ શુક્રવારના રોજ પૂર્ણ થતાં હોવાના કારણે તેમને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં dcp મનોહરસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગત અઠવાડિયે કેટલાક ભોગ બનનાર વિદ્યાર્થીઓ મને મળ્યા હતા. તેમનું કહેવું હતું કે એક ગેંગ દ્વારા તેમની પાસેથી લાખો રૂપિયા લઇ એલઆરડી તેમજ પીએસઆઇની પરીક્ષા માં કોઈપણ જાતની ફિઝિકલ કે રાઇટીંગ ટેસ્ટ વગર પાસ કરાવી આપવામાં આવશે તે પ્રકારનો વાયદો આપવામાં આવ્યો હતો.
ત્યારે ભોગ બનનાર વિદ્યાર્થીઓ પાસેથી મળેલી તમામ માહિતીની ખરાઈ કરવા માટે ગાંધીગ્રામ પોલીસની જુદી-જુદી ટીમ બનાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ક્રિષ્ના ભરડવા અને જેનીસ પરસાણા નામના વ્યક્તિની અભાન બાબતે સંડોવણી ખુલવા પામી હતી. જે અંતર્ગત પ્રથમ ક્રિષ્ના ભરડવા અને જેનીસ પરસાણાની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીગ્રામ પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ સાત દિવસના રિમાન્ડની માગણી અર્થે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
રિમાન્ડ ની માગણી કરતાં નામદાર કોર્ટ દ્વારા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપી ક્રિષ્ના અને જેનીસના બેંક એકાઉન્ટની જાંચ પડતાલ પણ કરવામાં આવી હતી. રિમાન્ડ દરમિયાન કરવામાં આવેલી પૂછપરછમાં ક્રિષ્નાએ પોતાના સાગરિત તરીકે ગાઝિયાબાદના આરીફ સિદ્દીકીનું નામ આપ્યું હતું.
જે સંદર્ભે આરીફની પૂછપરછ માટે ગાંધીગ્રામ પોલીસ દિલ્હી પહોંચી હતી પરંતુ તે ત્યાંથી નાસીને બેંગ્લોર પહોંચી ગયો હતો. ત્યારે ગાંધીગ્રામ પોલીસે આરીફને બેંગ્લોર થી ઝડપી પાડયો છે. તેમજ આવતીકાલે આરીફ તેમજ અન્ય આરોપી નિલેશભાઈ નાનાભાઈ મકવાણાને રિમાન્ડની માગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પોલીસ તપાસમાં આરોપી નીલેશ ભાઈ મકવાણાએ પોતાની ઓફિસમાં ભોગ બનનાર ફરિયાદી સહિતના છ સાહેદોને મુખ્ય આરોપીઓ સાથે મીટિંગ કરાવી આપી હતી. તેમજ ભોગ બનનાર પાસેથી રકમ મેળવી તેમાંથી કમિશન મેળવ્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.