Mustufa Lakdawala,Rajkot : શેર બજાર બાદ સોનાના ભાવમાં વધારો ઘટોડો જોવા મળી રહ્યું છે. જો કે છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં માત્ર વધારો જ જોવા મળી રહ્યો છે. પણ છેલ્લા 2 દિવસથી સોનાના ભાવ સ્થિર જોવા મળી રહ્યાં છે. જયારે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
અત્યારે સોનાની કિંમત 57 હજારને પાર પહોંચી ગઈ છે.આ સાથે જ ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં આજે 60 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.જ્યારે સોનાની કિંમતમાં માત્ર 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
આજે 9 ફેબ્રુઆરીએ સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ સોનાનો ભાવ સ્થિર જોવા મળી રહ્યો છે.જ્યારે ચાંદીના ભાવમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.ત્યારે હવે સોનાનો ભાવ 57 હજારને પાર પહોંચી ગયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેની અસર સ્થાનિક ધોરણે પણ જોવા મળી રહી છે. સોનાનોભાવ ઉંચી કિંમત પર પહોંચી ગયો છે. આજે સોનાનુ માર્કેટ ખુલતાની સાથે જ સોનાનો ભાવ સ્થિર જોવા મળ્યો છે. ત્યારે અત્યારેસોનાનો ભાવ 57, 260 રૂપિયા પર પહોંચી ગયો છે.
વાત કરવામાં આવે ચાંદીની તો ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ ચાંદીના ભાવમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. જેથી અત્યારે ચાંદીનો ભાવ 67,790 રૂપિયા પર પહોંચી ગયો છે.આમ સોના અને ચાંદીનું માર્કેટ અત્યારે ગરમ જોવા મળી રહ્યું છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે, તેઓ આગામી સમયમાં વ્યાજના દરમાં વધારો કરવાની ગતિ ધીમી કરવાના છે. જેના પરિણામે સોનાની કિંમત સ્થિર થઈ શકે છે.
મિસ્ડ કોલથી જાણો સોનાના ભાવ
નોંધનીય છે કે, આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલઆપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.