Mustufa Lakdawala, Rajkot: રાજકોટ ખાતેથી ગૃહ રાજ્યમંત્રી (State Home Minister) હર્ષ સંઘવીના (Harsh Sanghvi) હસ્તે પાકિસ્તાનમાંથી ભારત સ્થળાંતરિત થયેલાં (Migrated from Pakistan to India) રાજકોટનાં 24 લોકોને ભારતીય નાગરિકત્વ (Indian citizenship) અર્પણ કરાવામાં આવ્યું હતું. દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે 24 લોકોને આઝાદીના મહત્વનો લાગણીસભર અનુભવ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ તેમને ભારતીય નાગરિકત્વ સર્ટિફિકેટ આપીને કરવામાં આવ્યો હતો. સ્વતંત્રતા દિવસના (Independence Day 2022) બે દિવસ પૂર્વે ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરતાં લોકોની આંખોમાં હરખનાં આસું જોવા મળ્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Home ministry, Indian Citizenship, Rajkot city, Rajkot News, Rajkot Samachar