Mustufa Lakdawala,Rajkot : ઉત્તર રેલવેમાં બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેના કારણે જનતાને હાલાકી ભોગવવાનો વારો આવશે.ઉત્તર રેલવેના દિલ્હી વિસ્તારમાં આવેલા પટેલ નગર રેલવે સ્ટેશનપર યાર્ડ રિમોડલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ઘણી ટ્રેનો પર અસર થશે.
જેના કારણે રાજકોટથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.. કારણ કે ઉત્તર રેલવેમાંબ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમઅભિનવ જેફના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
આ રૂટના સમયમાં થશે ફેરફાર.
• ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર-પોરબંદર મોતિહારી એક્સપ્રેસ 18.12.2022ના રોજ ઉપડનારી ટ્રેન રસ્તામાંમુરાદાબાદ-ગાઝિયાબાદ વચ્ચે રૂટમાં 70 મિનિટ સુધી રેગુલેટ (મોડી) કરવામાં આવશે.
રદ્દ કરાયેલી ટ્રેનોની વિગત નિચે મુજબ છે..
• ટ્રેન નંબર 20937 પોરબંદર - દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ 17.12.2022 ના રોજ રદ રહેશે.
• ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા - પોરબંદર એક્સપ્રેસ 19.12.2022 ના રોજ રદ રહેશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનોની વિગત નિચે મુજબ છે.
• ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ 16.12.2022ના રોજ ઓખા થી ઉપડનારી ટ્રેન વાયાઅલવર-મથુરા-પલવલ-ગાઝિયાબાદ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
• ટ્રેન નં. 19270 મુઝફ્ફરપુર-પોરબંદર મોતિહારી એક્સપ્રેસ 19.12.2022 ના રોજ ઉપડનારી ટ્રેન વાયાદિલ્હી-રોહતક-ભિવાની-રેવાડી થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
વધુ માહિતી માટે તમે વેબસાઈટ પરથી માહિતી મેળવી શકો છો.
ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inનીમુલાકાત લઈ શકે છે.