Mustufa Lakdawala,Rajkot : દરેક સ્ત્રીનું સપનું માતા બનવાનું હોય છે. વાત કરવામાં આવે તો ઘણી સ્ત્રીઓને જલદી પ્રેગનન્સી કન્સિવ થતી હોય છે, તો અનેક લોકોને સમય લાગી જતો હોય છે. લગ્ન પછી માતા બનવાનું સપનું સ્ત્રીઓનું હોય છે. પરંતુ ઘણી મહિલાઓને પ્રેગનન્સી કન્સિવ કરવામાં તકલીફ પડતી હોય છે જેના કારણે અનેક ઘણાં કપલ સ્ટ્રેસમાં રહેતા હોય છે. આ વાત ઘણી સ્ત્રીઓ માટે ડિપ્રેશનનું કારણ પણ બની શકે છે. ગર્ભવતી થવા માટે માત્ર ફિઝિકલ રિલેશન જ નહીં, પરંતુ બીજી અનેક વાતો પણ જરૂરી હોય છે.
ઘણા એવા કપલ્સ હોય છે કે જેના કેસમાં મહિલાઓને કનસિવ થવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે અને છેલ્લે તેઓ IUI અને IVF જેવી ખર્ચાળ પદ્ધતિઓ અપનાવે છે. ત્યારે રાજકોટના ફર્ટીલીટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સંજય પટોડિયા કે જેઓ આયુર્વેદિક ડોક્ટર છે.તેઓ આયુર્વેદિક પદ્ધતિથી ઓછા ખર્ચે સારવાર કરી આપે છે અને એ પણ ગેરેન્ટેડ રિઝલ્ટ સાથે. ત્યારે આવો આપણે રાજકોટના ડોક્ટર સંજય પટોડિયા પાસેથી જ આ મામલે થોડી માહિતી મેળવીએ.
રાજકોટના ડોક્ટર સંજય પટોડિયાએ જણાવ્યું હતું કે હું છેલ્લા 10 વર્ષથી આયુર્વેદિક ડોક્ટર તરીકે ફર્ટીલીટીમાં પ્રેક્ટીસ કરૂ છું.અમે IUI અને IVF જેવી ખર્ચાળ પદ્ધતિઓ સામે અમે આર્યવેદિક દવાઓથી પ્રેગનેન્સી કન્સીવ થાય તે માટેની પ્રેક્ટીસ કરીએ છીએ.ડોક્ટર સંજય પટોડિયા આ પ્રેક્ટીસ છેલ્લા 10 વર્ષથી કરે છે.
આર્યુવેદિક દવાઓમાં અત્યારે જનરલી પેશન્ટને પીસીઓડીની તકલીફ વધુ પડતી જોવા મળે છે.આ સાથે જ હોર્મોનલ ઈનબેલેન્સ હોય, થાઈરોઈડવાળા પેશન્ટ હોય.આવા પેશન્ટને પ્રેગનેન્સી રાખવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.ત્યારે આવા પેશન્સની સારવાર અમે સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી જ કરીએ છીએ.
File image
મોટાભાગના દર્દીઓને 3થી 6 મહિનાની અંદર રિઝલ્ટ મળી જાય છે.પીસીઓડી, હોર્મોનલ ઈનબેલેન્સ અને થાઈરોઈડવાળા પેશન્ટ અમારી પાસે 100થી વધારે છે.એલોપેથીમાં હોર્મોનલ ઈન્જેક્શન, ગોળીઓ, IVF અને IUI માટે ઈન્સીલેટર વોર્ડ્સ વગેરે હોય છે.. જેમાં સ્ત્રીઓને કમરના દુખાવા સતત રહેતા હોય છે.
આ સાથે જે IVF અને IUI પદ્ધતિ ખર્ચાળ હોય છે.જ્યારે આયુર્વેદિકમાં આવુ કશુ હોતુ નથી.વધારે પડતા રિપોર્ટ પણ જરૂરી હોતા નથી.અમે નાળી પરીક્ષા પરથી જ સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ સજેસ્ટ કરીએ છીએ.આયુર્વેદિક પદ્ધતિમાં હોર્મોન્સ બેલેન્સ કરવા માટે 3થી 6 મહિનાનો સમય લાગતો હોય છે.
IVF અને IUIમાં ઈજેક્શન આપીને હોર્મોન્સને બેલેન્સ કરવામાં આવે છે.જેથી તેની અસર ડાયરેક્ટ થાય છે.પણ સામે શારિરીક નુકસાન પણ થતું હોય છે.વજન વધી જવુ, શરીર ફુલાઈ જવુ વગેરે.જ્યારે આયુર્વેદિક દવાની કોઈ આડઅસર હોતી નથી.
અમે ગેરેન્ટેડ રિઝલ્ટ આપીએ છીએ.25થી 30 વર્ષની ઉંમરના કપલને જેને કન્સીવ કરવુ હોય તો અમે તેને ગેરેન્ટેડ રિઝલ્ટ આપીએ છીએ.આ રિઝલ્ટ તેમને 3થી 6 મહિનામાં મળે છે. અને જેને 10 મહિને રિઝલ્ટ મળે તો તેને અમે 15 ટકા પૈસા પરત આપી દઈએ છીએ.