Home /News /press-release /Rajkot: રાજકોટમાં યોજતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મુકાશે ખુલ્લો

Rajkot: રાજકોટમાં યોજતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મુકાશે ખુલ્લો

આઝાદીનો અમૃત લોકમેળો

રાજકોટનો લોકમેળો (Biggest Mela in Rajkot) આ વર્ષે યોજાવા જઇ રહ્યો છે. સૌરાષ્ટ્રવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે ઘડી નજીક આવી ગઈ છે. રાજકોટના લોકમેળાનું આ વર્ષે નામ ‘આઝાદીનો અમૃત લોકમેળો’ રાખવામાં આવ્યું છે

Rajkot: કોરોનાને (Corona epidemic) કારણે છેલ્લા બે વર્ષથી બંધ રાખવામાં આવતો સૌરાષ્ટ્ર (Saurashtra)નો સૌથી મોટો રાજકોટનો લોકમેળો (Biggest Mela in Rajkot) આ વર્ષે યોજાવા જઇ રહ્યો છે. સૌરાષ્ટ્રવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે ઘડી નજીક  આવી ગઈ છે. રાજકોટના લોકમેળાનું આ વર્ષે નામ ‘આઝાદીનો અમૃત લોકમેળો’ રાખવામાં આવ્યું છે. જેને કાલે એટલે કે બુધવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા (Inaugurated by CM Bhupendra Patel) ખુલ્લો મૂકવામાં આવશે. શહેરના રેસકોર્સ મેદાનમાં આવતીકાલે સાંજે 5 વાગ્યે આ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે.

5 દિવસમાં 10થી 15 લાખ લોકો મુલાકાત લેશે

સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટની ધરતી ઉપર પવિત્ર પર્વ કૃષ્ણ જન્માષ્ટમીનું મુખ્ય આકર્ષણ એટલે રાજકોટના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસકોર્સ મેદાન પર આયોજિત ‘આઝાદીનો અમૃત લોકમેળો’. કોવિડ પરિસ્થિતિને કારણે બે વર્ષના લાંબા સમયગાળા પછી જ્યારે આ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ છે. આવતીકાલે રાંધણ છઠ્ઠ છે અને કાલથી દશમ સુધી આ લોકમેળો યોજાશે. જેમાં 10થી 15 લાખ લોકો આનંદ માણે તેવી શક્યતા છે.

ઉદઘાટનમાં આ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે

લોકમેળાના ઉદઘાટન સમારંભમાં મંત્રી જીતુ વાઘાણી,રાઘવજી પટેલ, અરવિંદ રૈયાણી, બ્રિજેશ મેરજા,આર. સી. મકવાણા તથા મેયર પ્રદીપ ડવ,જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર ઉપસ્થિત રહેશે. સંસદસભ્યો મોહન કુંડારીયા, રમેશ ધડુક,રામ મોકરીયા તેમજ ધારાસભ્યો કુંવરજી બાવળીયા,ગોવિંદ પટેલ, જયેશ રાદડિયા,લાખા સાગઠીયા,ગીતાબા જાડેજા, લલીત વસોયા,મોહંમદ જાવેદ પીરઝાદા, લલીત કગથરા, ઋત્વીક મકવાણાની પણ આ સમારંભમાં પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

આ પણ વાંચો:    'કબા ગાંધીનો ડેલો' કે જ્યાં થયું હતું ગાંધીજીમાં સંસ્કારોનું સિંચન

રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું

રેસકોર્સ રિંગ રોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂની એન.સી.સી. ચોક, કિશાનપરા ચોક, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફૂલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોકને 'નો-પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. રેસકોર્સ રિંગ રોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઇ જાહેર કરવામાં આવી છે. મેળો પૂર્ણ થાય ત્યાં સુધી રેસકોર્સ રિંગ રોડ ફરતે તમામ પ્રકારનાં વાહનોની સ્પીડ 10 કિમીથી વધુ ઝડપથી ચલાવવાનું રહેશે નહીં. જોકે પોલીસ હેડ ક્વાર્ટર સર્કલથી રૂડા બિલ્ડિંગ, કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક અને ફૂલછાબ ચોક તરફ જઇ શકાશે.
First published:

Tags: Rajkot city, Rajkot News, Rajkot Samachar, Saurashtra news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો