Home /News /porbandar /જાણો કેમ, પોરબંદરમાં દંપતીઓનું સન્માન કરાયુ સ્મશાનમાં!

જાણો કેમ, પોરબંદરમાં દંપતીઓનું સન્માન કરાયુ સ્મશાનમાં!

પ્રતિકાત્મક તસવીર

આપણે સામાન્ય રીતે નાનામાં નાનું કામ પણ સારા ચોઘડિયા જોઇને કરીએ છીએ.

આપણે સામાન્ય રીતે નાનામાં નાનું કામ પણ સારા ચોઘડિયા જોઇને કરીએ છીએ તો લગ્ન કમુરતામાં કરવાનું ચલણ અત્યારે તો ગુજરાતીઓમાં હજુ આવ્યું નથી. ત્યારે પોરબંદરમાં એક ગજબ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કમુરતામાં લગ્ન કરનારા યુગલોનું સ્મશાનમાં સન્માન કરવામાં આવ્યું હતું.

આ મામલે મળતી માહિતી પ્રમાણે પોરબંદરમાં સ્મશાનભુમિ ખાતે કાળીચૌદશની રાત્રે દર વર્ષે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વખતે 39 વર્ષ પહેલા કમુરતામાં લગ્ન કરનાર તથા ઉઠમણા હોલમાં ફેરા ફરનાર બે દંપતીના સ્મશાનમાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ: સ્વામિનારાયણ મંદિરે 1500 વાનગીના પ્રસાદ સાથે નવા વર્ષની ઉજવણી

આ ઉપરાંત વડા આરોગવાનો કાર્યક્રમ સહિત પુરપીડીતો માટે સત્સંગના માધ્યથી એકત્રીત થયેલ ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : 34 વખત પ્રેમ પ્રસ્તાવ ઠુકરાવ્યો, પાગલ પ્રેમીએ યુવતીના પેટમાં ચપ્પાના કર્યા 35 ઘા

39 વર્ષ પહેલા પણ કમુરતામાં લગ્ન કરીને અત્યારે પણ સફળતાભર્યું દામ્પત્યજીવન જીવી રહેલા દંપતીઓનું સન્માન કરાયું હતું. જેથી લોકો અંધશ્રધ્ધાથી દૂર જાય અને સારા પ્રસંગો કમુરતામાં કરતા ખચકાટ ન અનુભવે.
First published:

Tags: Diwali, Porbandar, ગુજરાત