Home /News /porbandar /Porbandar: Madhavpur beach પર રેત શિલ્પો બન્યાં મેળાનું આકર્ષણ

Porbandar: Madhavpur beach પર રેત શિલ્પો બન્યાં મેળાનું આકર્ષણ

સુરત, દ્વારકા અને પોરબંદર સહિતના રાજયભરના રેત શિલ્પકારો દ્વારા 12 થી 15 જેટલા રેત શિલ્પ તૈયાર કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ, રૂક્ષ્મણીજી, બંસરી, મોરપીંછ અને મટુકી સહિતના રેત શિલ્પ તૈયાર કરાશે. મેળો માણવા આવતા લોકો નિહાળી શકશે.

સુરત, દ્વારકા અને પોરબંદર સહિતના રાજયભરના રેત શિલ્પકારો દ્વારા 12 થી 15 જેટલા રેત શિલ્પ તૈયાર કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ, રૂક્ષ્મણીજી, બંસરી, મોરપીંછ અને મટુકી સહિતના રેત શિલ્પ તૈયાર કરાશે. મેળો માણવા આવતા લોકો નિહાળી શકશે.

વધુ જુઓ ...
Gayatri Chauhan, Porbandar: માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવને લઇને રાષ્ટ્રીય કક્ષાનાં મેળાની સાથે સાથે માધવપુરના રળીયામણાં બીચને ઉજાગરકરવા તારીખ 30 માર્ચથી 3 એપ્રિલ સુંધી રેત શિલ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે.પોરબંદરના માધવપુરમા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવનો પ્રારંભ થયો છે આ પ્રસંગે રેતી શિલ્પનુ આયોજન કરવામા આવ્યુ છે.

માધવપુરના રળીયામણા દરીયા કિનારા રેત શિલ્પકારો દ્રારા રેત શિલ્પ સર્જન કરી અને માધવપુરના દરીયા કિનારાની સુંદરતામા વધારો કર્યો છે. ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સાંસ્કુતીક વિભાગ દ્વારા રેત શિલ્પનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુરત, દ્વારકા અને પોરબંદર સહિત ના રાજયભરના રેત શિલ્પકારો દ્વારા 12 થી 15 જેટલારેત શિલ્પ તૈયાર કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ, રૂક્ષ્મણીજી, બંસરી, મોરપીંછ અને મટુકી સહિતના રેત શિલ્પ તૈયાર કરાશે. જે મેળોમાણવા આવતા લોકો નિહાળી શકશે.

બાર જેટલા રેત શિલ્પનુ સર્જન
માધવપુરમા 30 જેટલા રેતશિલ્પકારોએ કૃષ્ણ- રુક્મિણીજીના લગ્ન સહિતની થીમ પર  12 શિલ્પ બનાવી રેતી શિલ્પ કલાકારોએ કલાના માધ્યમથી કૃષ્ણ રુક્મિણી જીના લગ્નની રેત પ્રતિકૃતિ બનાવી છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
વિવાહ ઉત્સવની થીમ ઉપર રેત શિલ્પ
માધવપુરના દરીયા કિનારે રેત શિલ્પકારો દ્રારા કૃષ્ણ રુકમણીજી, વિવાહ મંડપ, મોરપિચ્છ, ગણપતિજી, કળશ અને મટુકી, જી-20 સમિટની થીમ પર શિલ્પ બનાવ્યા છે. પ્રવાસીઓ આ શિલ્પોને પાંચ દિવસ સુધી જોઈ શકશે. શિલ્પોની જાણવણી માટે ટીમ દ્વારા જાણવણી કરવામાં આવી રહી છે.



માધવપુરમા પ્રથમ વખત રેત શિલ્પનુ આયોજન
પોરબંદરના માધવપુરમા વર્ષોથી કૃષ્ણ- રુક્મિણીજીના વિવાહા ઉત્સવની ઉજવણી કરવામા આવે છે અને વર્ષ 2018 થી મેળાને રાષ્ટ્રી કક્ષાના મેળાનુ  આયોજન કરવામા આવે છેે. પરંતુ પ્રથમ વખત મેળા દરમ્યાન રેત શિલ્પનુ આયોજન કરવામા આવ્યુ છે. જે શ્રધ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે.
First published:

Tags: Local 18, Porbandar News