રાજ્યમાં ગાંધી જયંતિની ઉજવણીની વાત કરીએ તો વિજયભાઇ રૂપાણી પોરબંદરના કિર્તીમંદિરમાં સવારે યોજાનારી સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી મહાત્માને ગાંધીજીને ભાવાંજલિ આપશે. પોરબંદરમાં 150મી ગાંધી જન્મજયંતિ નિમિત્તે અનોખી ઉજવણી કરવા માટે માનવ સાંકળ રચીને બાપૂની પ્રતિકૃતિ નિર્માણ કરાશે, જેનું નિરિક્ષણ વિજયભાઇ રૂપાણી નિરીક્ષણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દર વર્ષે ગાંધીજ્યંતિ ર-ઓકટોબરે ખાદી ખરીદી અભિયાનથી ગરીબ ગ્રામીણ પરિવારોના ઘરમાં આર્થિક ઊજાસ પાથરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, આ અભિગમને મુખ્યમંત્રી રૂપાણી આગળ ધપાવશે અને બપોરે ૪ વાગ્યે અમદાવાદમાં આશ્રમ રોડ પરના ગ્રામશિલ્પથી ખાદીની ખરીદી કરશે. વિજયભાઇ રૂપાણી સાંજે પાંચ વાગ્યે વાડજ સર્કલ પાસે રૂ. ૧૯ કરોડના ખર્ચે નવા નિર્માણ થનારા ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ ભવન તેમજ ખાદી મ્યૂઝિયમનો શિલાન્યાસ પણ કરવાના છે.