Home /News /porbandar /Porbandar:  માધુવપુરનાં મેળામાં ગુજરાત અને ઉત્તર-પૂર્વ રાજયના કલાકારો કરાવશે જમાવટ, શું કૃતિ રજુ થશે જાણો

Porbandar:  માધુવપુરનાં મેળામાં ગુજરાત અને ઉત્તર-પૂર્વ રાજયના કલાકારો કરાવશે જમાવટ, શું કૃતિ રજુ થશે જાણો

પોરબંદરના માધવપુર ખાતે તા.૩૦ માર્ચથી પાંચ દિવસિય લોકમેળાનું આયોજન કરાયું છે. ત્યારે સ્ટેજ પરથી જુદી જુદી કૃતિઓ રજૂ કરનાર ટીમો પોરબંદરઆવી પહોંચી છે.

પોરબંદરના માધવપુર ખાતે તા.૩૦ માર્ચથી પાંચ દિવસિય લોકમેળાનું આયોજન કરાયું છે. ત્યારે સ્ટેજ પરથી જુદી જુદી કૃતિઓ રજૂ કરનાર ટીમો પોરબંદરઆવી પહોંચી છે.

Gayatri Chauhan, Porbandar: પોરબંદરના માધવપુરમા ભગાવન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ ઉત્સાહ પ્રસંગે આગામી તા. 30 માર્ચ થી 2 એપ્રિલ સુધી રાષ્ટ્રીકક્ષાના મેળાનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા સાંસ્કૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા ઉત્તર પૂર્વ રાજયો અને ગુજરાતના કલાકારો પોતાની કલા રજુ કરશે. જેને લઈ માધવપુરના મેળામાં આસામ અને અરુણાચલ પ્રદેશની બે ટીમો ખેત પાકોના વાવેતર, તેની જાણવણી અને પાકની લણણીના પ્રસંગો તથા નવા ધાન્ય ઘરમાં અને ગામમાં આવે તેની ખુશી માંગ વાતા ગીતો પરંપરાગત વેશભૂષામાં રજૂ કરવામાં આવશે તથા પહાડોમાં સ્થાનિક લોકો જંગલ વિસ્તારમાં ખેતીનુંવાવેતર કરે તેને રજૂ કરાશે.



આસામથી પોતાના ગ્રુપ સાથે આવેલા માનવ જૂટીગાઈએ કહ્યું કે, માધવપુર ખાતે યોજનાર મેળામાં અમે આસામનું લોક ગીત મિસિંગ ગુમરાગ રજૂ કરશું. આસામમાં ચોખાનું વાવેતર થાય છે. ત્યારે ચોખાના Particular અને પાકને લણતા હોય તેના પર આ લોક ગીત છે. ખેડૂતો અને શ્રમિકો જ્યારે પાકનું વાવેતર કરે, લણે,પાકની જાળવણી કરે તેને ઉજાગર કરતું આ લોકગીત છે. જેમાં ઢોલ, મંજીરા સાથે કૃતિ રજૂ કરતા હોય છે.

આસામની પહાડી બે કૃતિ રજૂ કરશે
પહાડીવિસ્તારોમાં સ્થાનિક લોકો દ્વારા પહાડોમાં ખેતીનું ઉત્પાદન કરવામાં આવે, ખેતીના પાકોનું વાવેતર, તેની જાણવણી, પાકની લણણી સમયે ખેડૂતો અને શ્રમિકો હાથેથીધાનને કાપે તે પરંપરાગત પાકું જોતા કૃતિના માધ્યમથી ટ્રેડિશનલ પહેરવેશ. સાથે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત બીજી કૃતિ પાક ઉત્પાદન થયા પછી નવા ધાન્ય પાકો ઘરમાં અને ગામમાં આવે તેની ખુશીમાં ગામ લોકો હારવેસ્ટ ફેસ્ટિવલ ઉજવે તે પ્રસંગને અનુરૂપ કૃતિ રજુ કરવામાં આવશે.

ગુજરાતના કલાકાર પણ કરશે જમાવટ
માધવપુરના મેળામા ઉત્તરપૂર્વ અને ગુજરાતના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરશે.ગુજરાતના નામાંકિત કલાકારો મા સાંઈરામ દવે, લલીતાબેન ઘોડાદ્રા, કિર્તિદાન ગઢવી,જગદીશભાઈ ત્રિવેદી, ગીતાબેન રબારી, બીહારીદાન ગઢવી,આદિત્ય ગઢવી, અનિરુધ્ધ ગઢવી અને માયાભાઈ આહીર સહિતના કલાકરો ડાયરાની જમાવટ કરશે.

આ પણ વાંચો: જાણો કેવી રીતે થાય છે અળસિયાની ખેતી? ખેડૂતોને શું થાય છે ફાયદો

આઠ રાજયોના કલાકારો જોડાશે
પોરબંદરના માધવપુર યોજાનાર લોકમેળામા સાંસ્કૃતિ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા ઉત્તરપૂર્વના આઠ રાજયોના કલાકારો ભાગ લેશે તે તમામ કલાકારોનુ પોરબંદર આગમન થઈ ગયુ છે.
First published:

Tags: Dharm Bhakti, Local 18, Porbandar News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો