Indian Team Announced for Sri lanka Tour: શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની (Team India) જાહેરાત કરવામાં આવી છે. ODI વનડે અને ODI ટી -20 મેચની સિરીઝમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ શિખર ધવન (Shikhar Dhavan) કરશે. જ્યારે ભુવનેશ્વર કુમારને (Bhuvneshvar Kumar) વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ પ્રવાસમાં ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે, જેમાં દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, ચેતન સાકરીયા (Chetan sakaria) જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. નીતિશ રાણા, કૃષ્ણપ્પા ગૌતમને પણ પહેલીવાર ટીમ ઈન્ડિયામાં તક મળી છે. આ સાથે જ મનીષ પાંડે, પૃથ્વી શો, સંજુ સેમસનની ટીમમાં વાપસી થઇ છે.
વરુણ ચક્રવર્તીનો ફરી એકવાર ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલા પણ બે વખત આ બોલરનું નામ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યું છે, પરંતુ નબળી ફિટનેસને કારણે તે હજી પ્રવેશ કરી શક્યો નથી. મોટો સમાચાર એ છે કે, શ્રીલંકા પ્રવાસ પર રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહેશે.
તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈએ રાહુલ તેવાતીયાને ટીમમાં તક આપી નથી. જેની ઈંગ્લેન્ડ સામેની ટી -20 શ્રેણી માટે પસંદગી કરવામાં આવી હતી. આ સિવાય ડાબોડી ઝડપી બોલર જયદેવ ઉનડકટ પણ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. શ્રેયસ અયૈર અનફિટ છે, તેથી તેની પણ શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા નથી.
ભારતનો શ્રીલંકા પ્રવાસ
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 વનડે અને 3 ટી 20 મેચ રમાશે. વનડે સિરીઝની પહેલી મેચ 13 જુલાઇ, બીજી વનડે 16 અને ત્રીજી મેચ 18 જુલાઈએ રમાશે.
આ પછી, ટીમ ઈન્ડિયા 21 જુલાઈએ ટી -20 શ્રેણીની પહેલી મેચ રમશે. બીજી મેચ 23 જુલાઈ અને ત્રીજી ટી 20 મેચ 25 જુલાઇએ યોજાશે. તમામ મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર