Home /News /panchmahal /Panchmahal: પ્રખ્યાત ઘોડેસવાર સંત જોરીયા પરમેશ્વરથી કેમ ઘ્રુજતા હતા અંગ્રેજો, આવી છે શૌર્ય ગાથા
Panchmahal: પ્રખ્યાત ઘોડેસવાર સંત જોરીયા પરમેશ્વરથી કેમ ઘ્રુજતા હતા અંગ્રેજો, આવી છે શૌર્ય ગાથા
સંત જોરીયા પરમેશ્વર પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના વતની હતા
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના વડેક ગામે વર્ષ 1838 માં જન્મેલા જોરીયા કાલીયા નાયક ઉર્ફે જોરીયા પરમેશ્વર ઘોડે સવારીમાં નીપુણ હતા. તેઓએ ઘણા બધા રજવાડાના ઘોડેસવારોને હરાવ્યા હતા.
Prashant Samtani, Panchmahal: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા સંત જોરીયા પરમેશ્વરની યાદમાં અને તેમના બલિદાનને લોકો યાદ કરે તે હેતુથી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કાકરોલીયા ખાતેથી સંત જોરીયા પરમેશ્વર પ્રતિમા અને શાળાનુ કરવામાં આવ્યું ઈ-લોકાર્પણ છે.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના વડેક ગામે વર્ષ 1838 માં જન્મેલા જોરીયા કાલીયા નાયક ઉર્ફે જોરીયા પરમેશ્વર ઘોડે સવારીમાં નીપુણ હતા. તેઓએ ઘણા બધા રજવાડાના ઘોડેસવારોને હરાવ્યા હતા. તેમના જમાનામાં આદિવાસીઓ દેશી-વિદેશી સ્થાપિત હિતો દ્વારા બેસુમાર રીતે કચડાતા હતા.
ત્યારે તેમણે આદિવાસીઓના જળ, જમીન અને જંગલના હક બચાવવા તેમજ શોષણ અને સમાજ સુધારા એમ ત્રણ વિવિધ મુદ્દાઓ લઇ વર્ષ 1868 માં અંગ્રેજો સામે આંદોલન શરૂ કર્યું હતું. તે આંદોલનનો ફેલાવો સમગ્ર હાલોલ પંથકમાં થયો હતો અને હજારો લોકો તેમના અનુયાયીઓ બન્યા હતા. તેમના અનુયાયીઓ જોરીયા પરમેશ્વરનો પડ્યો બોલ જીલતા હતા.
વર્ષ 1868 માં અંગ્રેજોએ પંચમહાલ જિલ્લામાં જંગલ કાયદો લગાવીને આદિવાસીઓના અધિકારો છીનવી લીધા પરિણામે તેમનાઅને રૂપસિંહ નાયક તથા ગલાલ નાયક દ્વારા જે આંદોલન અંગ્રેજો વિરુદ્ધ ઉભુ થયું હતું તે 1868 ના આંદોલનના વર્ષે તેઓ દ્વારા આદિવાસી યુદ્ધનીતિથી અંગ્રેજો અને દેશી રજવાડાઓને ત્રાહિમામ પોકારાવી દીધા હતા. અને ખુદ અંગ્રેજોએ કબુલ્યું છે કે જોરીયા પરમેશ્વરના આંદોલનની પરાકાષ્ઠાના ગાળામાં લોકો એવું માનતા હતા કે અંગ્રેજોના શાસનનો અહીં અંત આવ્યો છે.
અને જોરીયા પરમેશ્વરનું સુકનિયાળ રાજ્ય શરૂ થયું છે જોરિયાની આદિવાસી રાજ્યની માંગણી અને તેના માટેના આંદોલન અંગ્રેજોને સહન ન થતા આદિવાસીઓને શોધવા માટે પુણા, ગ્વાલિયર અને અમદાવાદ જેવા શહેરોમાં 1100 સૈનિકોની એક સેના બોલાવી 15 દિવસ સુધી ફાઇટ ટુ ફિનિશ જેવી સ્થિતિ ઉત્પન્ન કરી હતી.
15 દિવસ સુધી છુપાછુપી ચાલતી રહી અને જોરીયા પરમેશ્વર ખૂબ જ ચતુર હોવાથી પોતાના હમસકલને લડવા મોકલતા હતા. છેવટે 15 દિવસ પછી જોરીયા પરમેશ્વર પકડાઈ ગયા. અંગ્રેજોની સેના સામે જે હિંસક સંઘર્ષ થયો એમાં 200 આદિવાસી યોદ્ધાઓ શહીદ થયા હતા તેમજ 60 યોદ્ધાઓ પકડાઈ ગયા હતા જેમાં જોરીયા પરમેશ્વર પણ પકડાઈ જતા તેમના 4 સાથી મિત્રો સાથે 16 એપ્રિલ 1868 ના દિવસે જાંબુઘોડા ના રાજવી જગતસિંહ બારીયાએ ફાંસી આપી હતી અને અન્ય યોદ્ધાઓને આજીવન કારાવાસ અથવા દેશ નિકાલની સજા કરવામાં આવી હતી. 16 એપ્રિલ 1868 ના દિવસે પાંચ યોદ્ધાઓને ફાંસી આપવાથી તેમની યાદમાં દર વર્ષે 16 એપ્રિલને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે.