Home /News /panchmahal /રંગીન સંબંધોની કહાની: ગોધરા એ ડીવીઝન પોલીસ મથકમાં ગુમ થવાની ફરિયાદ હત્યા કેસમાં ફેરવાઈ ગઈ

રંગીન સંબંધોની કહાની: ગોધરા એ ડીવીઝન પોલીસ મથકમાં ગુમ થવાની ફરિયાદ હત્યા કેસમાં ફેરવાઈ ગઈ

પંચમહાલ ક્રાઈમ

Panchmahal Crime News: મહિલાના (woman) આશિક ડ્રાઇવર અને મિત્રએ દોરડાથી ગળે ટૂંપો આપ્યા બાદ મનહરભાઈના મૃતદેહને નર્મદા કેનાલના (Narmada canal) પાણીમાં ફેંકી દીધો હોવાની ચોંકાવનારી હત્યારાઓએ (murder) કબૂલાત કરી હતી.

શિવમ પુરોહિત, પંચમહાલ: ગોધરા (godhra) શહેરના સાંપા રોડ ખાતે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ૬૪ વર્ષીય મનહરભાઈ ઝાલા ઘરેથી ગુમ (missing) થયા હોવાની ગોધરા એ ડીવીઝન પોલીસ (police) મથકમાં જાણવા જોગ દાખલ ફરીયાદ આખરે હત્યા (murder) કેસમાં ફેરવાઈ જઈને મનહરભાઈ ઝાલાએ રેખાબેન પરમારને આપેલા અંદાજે ૩૦ લાખ રૂ.ની ઉઘરાણીના નાણાં વસુલાતની માંગણીથી ઉશ્કેરાઈ ગયેલા આ મહિલાના આશિક ડ્રાઇવર અને મિત્રએ દોરડાથી ગળે ટૂંપો આપ્યા બાદ મનહરભાઈના મૃતદેહને નર્મદા કેનાલના પાણીમાં ફેંકી દીધો હોવાની ચોંકાવનારી હત્યારાઓએ કબૂલાત કરી હતી.

કબૂલાતના આધારે ગોધરા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મૃતકના જમાઈ નરેન્દ્રકુમાર પરમારની ફરીયાદના આધારે સંજય અમરસિંહ દેવીપૂજક રહે. ભુરાવાવ સી.એસ.સી. સેન્ટર, રાહુલ ઉર્ફે પીન્ટુ રવજીભાઈ પરમાર રહે. અલિન્દ્રા (કાલોલ) અને રેખાબેન કાંતિલાલ પરમાર રહે.ભક્તિનગર સોસાયટી સાંપા રોડ વિરૂધ્ધ ઈ.પી.કો.૩૦૨, ૨૦૧, ૧૨૦બી અને ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી ને મનહરભાઈના મૃતદેહને શોધવા માટે પોલીસ તંત્રની ટીમોએ નર્મદા કેનાલ મા સર્ચ અભિયાન હાથ ધર્યુ છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

શહેરના ભુરાવાવ ચોકડી પાસે લધુ ગૃહ ઉધોગ માટે જરૂરિયાત મંદ લોકો ને સહાય અપાવતા રેખાબેન પરમારે સમાજના પરિચત એવા મનહરભાઈ ઝાલા પાસેથી અંદાજે ૩૦ લાખ રૂ. મદદ માટે લીધા હતા. અને શ્રીલંકા ફરવા જવાનું હોઈ મનહરભાઈ એ રેખાબેનને ૫ લાખ રૂ. આપવાનુ કહેતા મામલો અંદરખાને ગરમાયો હતો.

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં બોયફ્રેન્ડ સાથે ફરવા જતી ધો.10ની વિદ્યાર્થિનીને કરી નજર કેદ, કિશોરીની આત્મહત્યાની કોશિશ

એમાં રેખાબેનની ઈકો ગાડીના ડ્રાઈવર સંજય દેવીપુજકે મનહરભાઈને મારે રેખાબેન સાથે છેલ્લા ૧૦ વર્ષોથી રંગીન સંબધો છે તે નાણાં કેમ આપ્યા હોવાનું જણાવ્યું હતું ત્યાર બાદ શહેરા ખાતે એક ધાર્મિક વિધીમાં રેખાબેનની ઈકો કાર લઈને ગયેલા મનહરભાઈને રેખાબેનના આશિક ડ્રાઈવર સંજય દેવીપુજક અને મિત્ર રાહુલ ઉફે પિન્ટુ પરમારે રાત્રે પરત આવતા સમયે મનહરભાઈને દોરડાની મદદથી ટુંપો આપી હત્યા કર્યા બાદ મૃતદેહને એકસઠ પાટીયા ઘુસર થી આગળ વચ્છેસર નર્મદા કેનાલના પાણીમાં ફેકી દિધો હોવાની હત્યારાઓની કબુલાત સાંભળીને પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠયું હતુ.
First published:

Tags: Boy Murder, Crime news, Panchmahal News, ગુમ, હત્યા