Home /News /panchmahal /Panchmahal: આ સ્થળે જોઈ શકાશે આંશિક સૂર્યગ્રહણનો દૂર્લભ નજારો; આ સમયે થશે ગ્રહણ
Panchmahal: આ સ્થળે જોઈ શકાશે આંશિક સૂર્યગ્રહણનો દૂર્લભ નજારો; આ સમયે થશે ગ્રહણ
ગોધરામાં જાહેર જનતા માટે સૂર્યગ્રહણ જોવા અહીછે આયોજન, આવો સંયોગ ફરી નહિ જોવા મલે
અદભૂત અવકાશીય ઘટના આંશિક સૂર્યગ્રહણનો નજારો જોવા મળશે. તારીખ : ૨૫ ઓક્ટોબર 2022 મંગળવારના રોજ ગોધરા ખાતે ગ્રહણ સાંજના ચાર વાગીને ચાલીસ મિનીટથી 4.40 શરુ થઇ જશે. અને છ વાગ્યા ને બે મિનીટ 6.02 સુધી જોવા મળશે.
Prashant Samtani, Panchmahal: નુતનવર્ષના આગમનની તૈયારીઓ નગરમાં અને વિશ્વમાં થઇ રહી છે, ત્યારે એક અદભૂત અવકાશીય ઘટના આંશિક સૂર્યગ્રહણનો નજારો જોવા મળશે. તારીખ : ૨૫ ઓક્ટોબર 2022 મંગળવારના રોજ ગોધરા ખાતે ગ્રહણ સાંજના ચાર વાગીને ચાલીસ મિનીટથી 4.40 શરુ થઇ જશે. અને છ વાગ્યા ને બે મિનીટ 6.02 સુધી જોવા મળશે.
સૂર્યગ્રહણ ગોધરામાં ક્યાં અને ક્યારે જોઈ શકાશે?
ગત વર્ષની સમાપ્તિ અને નુતનવર્ષના આગમનની તૈયારીઓ નગરમાં અને વિશ્વમાં થઇ રહી છે, ત્યારે એક અદભૂત અવકાશીય ઘટના આંશિક સૂર્યગ્રહણનો નજારો જોવા મળશે. તારીખ : ૨૫ ઓક્ટોબર 2022 મંગળવારના રોજ ગોધરા ખાતે ગ્રહણ સાંજના ચાર વાગીને ચાલીસ મિનીટથી 4.40 શરુ થઇ જશે. અને છ વાગ્યા ને બે મિનીટ 6.02 સુધી જોવા મળશે. આમ, એક કલાક અને ત્રીસ મિનીટ સુધી સૂર્યગ્રહણની અદભુત પ્રાકૃતિક ઘટના નિહાળી શકાશે.
તમે ગ્રહણ ક્યાં અને કેવી રીતે જોઈ શકશો?
દરેક નાગરિક સૂર્યગ્રહણનો અદ્ભુત નજારો સરળતાથી નિહાળી શકે તે માટે, લોક વિજ્ઞન કેન્દ્ર, ગોધરાની ટીમ દ્વારા લારા હોસ્પિટલ, લોખંડવાલા કોમ્પલેક્ષની પાછળ, એલ.આઈ.સી. રોડ, ગોધરા ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઘટનાને નિહાળવા માટે નગરજનોને જાહેર નિમંત્રણ પાઠવામાં આવે છે. લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા અને ગુજકોસ્ટ તરફથી સૂર્યગ્રહણને નિહાળવા માટે ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં પીનહોલ કેમેરા, સૂર્યગ્રહણ જોવા માટેના ચશ્માં, લેન્સની મદદથી સૂર્યગ્રહણનો પડછાયો વગેરે દ્વારા ગ્રહણ નિહાળી શકાશે.
સૂર્યગ્રહણ જોવા માટેની તાલીમ પણ આપવામાં આવનાર છે !
લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અલગ-અલગ પદ્ધતિ દ્વારા સૂર્યગ્રહણ જોવાની તાલીમ આપવામાં આવશે. આ ગ્રહણ ગોધરા, પંચમહાલ અને ગુજરાતમાં આંશિક રીતે જોવા મળશે. જેમાં સુરક્ષિત રીતે સૂર્યગ્રહણ કેવી રીતે જોવું, કેવી રીતે થાય છે, તે અંગે પણ માહિતી લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા આપવામાં આવનાર છે.
સૂર્યગ્રહણ નરી આંખે જોઇ શકાય ?
લોક વિજ્ઞાન કેન્દ્ર ના ડૉ સુજાત વલી સાથે વાત કરતા જણાવવામાં આવ્યું કે , ગ્રહણ સીધેસીધું નરી આંખે જોવું e હિતાવહ નથી. પરંતુ કયારેય સૂર્યગ્રહણ જેવી કુદરતી ઘટનાને ખોટી માન્યતાઓથી સરખાવી ડરવું નહી . સૂર્ય ગ્રહણ સાથે ઘણી બધી માન્યતાઓ જોડાયેલી છે. માન્યતાઓને લઇને જો કોઈ પ્રશ્ન હશે તો લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વૈજ્ઞાનિક રીતે સમજ પૂરી પાડવામાં આવનાર છે. લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા થનાર કાર્યક્રમનો વિના મુલ્યે લાભ લેવા સૌ નગરજનોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.