Home /News /north-gujarat /દબાણો મુદ્દે તલોદમાં ત્રણ દિવસ બંધનું એલાન,વેપારીઓ દ્વારા પાલિકા સામે રોષ

દબાણો મુદ્દે તલોદમાં ત્રણ દિવસ બંધનું એલાન,વેપારીઓ દ્વારા પાલિકા સામે રોષ

હિંમતનગરઃ સાબરકાંઠાના તલોદમાં વહેપારી મંડળે આજથી ત્રણ દિવસ માટે બંધ પાડ્યો છે.શહેરના મુખ્ય રસ્તાઓ પર દબાણને લઇને ત્રણ દીવસનુ બંધનુ એલાન જાહેર કર્યુ છે. તો આજે તમામ વેપારીઓએ પાલિકા પહેચીને પાલીકાના દબાણ પ્રત્યેની નિરસતા સામે રોષ દાખવીને પાલીકાના સત્તાધીશો સામે સુત્રોચ્ચાર કર્યા હતાં અને હોબાડો મચાવ્યો હતો.

હિંમતનગરઃ સાબરકાંઠાના તલોદમાં વહેપારી મંડળે આજથી ત્રણ દિવસ માટે બંધ પાડ્યો છે.શહેરના મુખ્ય રસ્તાઓ પર દબાણને લઇને ત્રણ દીવસનુ બંધનુ એલાન જાહેર કર્યુ છે. તો આજે તમામ વેપારીઓએ પાલિકા પહેચીને પાલીકાના દબાણ પ્રત્યેની નિરસતા સામે રોષ દાખવીને પાલીકાના સત્તાધીશો સામે સુત્રોચ્ચાર કર્યા હતાં અને હોબાડો મચાવ્યો હતો.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    હિંમતનગરઃ સાબરકાંઠાના તલોદમાં વહેપારી મંડળે આજથી ત્રણ દિવસ માટે બંધ પાડ્યો છે.શહેરના મુખ્ય રસ્તાઓ પર દબાણને લઇને ત્રણ દીવસનુ બંધનુ એલાન જાહેર કર્યુ છે. તો આજે તમામ વેપારીઓએ પાલિકા પહેચીને પાલીકાના દબાણ પ્રત્યેની નિરસતા સામે રોષ દાખવીને પાલીકાના સત્તાધીશો સામે સુત્રોચ્ચાર કર્યા હતાં અને હોબાડો મચાવ્યો હતો.

    તલોદ શહેરમાં રસ્તાઓ ઉપરના દબાણ અને સાંકડા રસ્તાઓ થતા જતાં હોઇ આખરે પાલીકા અને તંત્રની ઉદાસીનતા સામે અવાજ ઉઠાવવા માટે ત્રણ દીવસના બંધ ના એલાનને જાહેર કરી આજ થી બંધ પાળ્યો છે. તલોદ શહેરના તમામ વહેપારી દુકાનદારોએ બંધ સજ્જડ રીતે પાળીને વિરોધ દર્શાવ્યો હતો અને ત્રણ દીવસ સુધી બંધ પાળી રાખવાનુ એલાન આપતા પાલીકા અને તંત્ર વહેપારીઓની લાલઆંખ થી હાંફળા ફાંફળા બની ગયા હતા પાલીકાના ચીફ ઓફીસરને અનેક વાર રજુઆતો કરવા છતાં પણ પાલીકા તરફ થી ગલ્લાઓ અને લારીઓના રસ્તાઓ પર વધતા જતા દબાણની સામે કોઇ કાર્યવાહી કરાતી નહોતી.

    જેથી ત્રાસી ઉઠેલા વહેપારીઓએ શહેરના તમામ વહેપારી મંડળો એક થઇને વિરોધ દાખવવા માટે શુક્રવાર,શનિવાર અને રવિવાર એમ ત્રણ દીવસનુ બંધનુ એલાન જાહેર કરી દીધુ હતુ અને રસ્તાઓ પર ના દબાણને હટાવવા માટેની માંગ કરાઇ હતી.તો પાલીકા આગળ વહેપારીઓના ટોળાઓ ધસી જઇને દેખાવો કરીને સુત્રોચ્ચાર પાલીકાના સત્તાધીસો સામે કર્યા હતાં.

    આ બંધને લઈને આજે તમામ વહેપારીઓ પાલિકાની કચેરીએ ઘસી આવ્યા હતા અને અહિ તેમને આક્રોશ દર્શાવ્યો હતો તો આવેદનપત્ર આપ્યુ હતુ.તો બીજી તરફ વહેપારીઓની આક્રમક બંધના પગલે આખરે પાલીકા સત્તાધીસોએ પણ આખરે વહેપારીઓએ આવેદન પત્ર સામેથી પાલીકા બહાર આવીને સ્વીકારીને તેઓને ખાત્રી આપી હતી કે આગામી એક સપ્તાહમાં આ બાબતે યોગ્ય પગલા ભરવામાં આવશે.

    જોકે પાલીકા દ્રારા અનેક વારની રજુઆતોને અવગણના કરાઇ રહી હતી પણ હવે વહેપારીઓએ બંધ પાળીને દેખાવો કરતા અને આગામી દીવસોમાં ભુખ હડતાળ પર ઉતરવાની ચિમકી આપતા જ હવે પાલીકા એ રસ્તા પર ના દબાણને હટાવવા માટેની વાતો થી સમાધાન કરવાની પ્રક્રીયા હાથ ધરી છે.
    First published: