યશવંત પટેલ, પાટણ: લોકસભા ચૂંટણીને લઇને રાજકીય હલચલ જોવા મળી રહી છે. આવામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરની નારાજગી સામે આવી રહી છે. કહેવાય છે કે, જોધાજી ઠાકોર કોંગ્રેસથી નારાજ છે. આટલું જ નહીં, જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક પણ કરી છે.
નારાજ જોધાજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી છે. જ્યારે તેમણે આ બેઠક હારીજની એક હોટલમાં કરી હતી. આ બેઠકને જોતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
જોધાજી ઠાકોર અને સીએમની બેઠક બાદ કોંગ્રેસ પક્ષમાં નવા જૂની થવાના એંધાણ જોવાઇ રહ્યાં છે. આવાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. ઉલ્લેખનીય છે કે, જોધાજી ઠાકોરની સ્થાનિક ઉમેદવાર અંગેની માગણી ન સંતોષાતા તે નારાજ હતા.
ઉલ્લેખનીય છે કે, પાટણ બેઠક પર કોંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે આ બેઠક પર ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. ઉપરાંત ઉત્તર ગુજરાતની પાટણ બેઠક ખૂબ જ મહત્વની છે. 2014માં ભાજપના લીલાધર વાઘેલા આ બેઠક પરથી જીતી ચૂક્યા છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર