બનાસકાંઠામાં દેથળી ગામે એક સાથે ચાર યુવતીઓએ આપઘાત કરતા, ચકચાર મચી જવા પામી હતી. મૃતક યુવતીઓમાં ત્રણ યુવતી પરણિત હતી, તથા એક યુવતી અપરણિત હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાના પગલે મોટા પાયે પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
પ્રાથમિક માહિતી પ્રમાણે બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામે એક સાથા ચાર યુવતીઓએ કેનાલમાં કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવતીઓમાં ત્રણ પરણિત અને એક યુવતી અપરણિત હોવાનું બહાર આવ્યું છે. કેનાલ પાસેથી ચપ્પલ અને સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં લખ્યું છે કે બે બીમારીને કારણે આત્મહત્યા કરી છે. જ્યારે બે યુવતીઓએ તેની બહેનપણીના વિરહમાં આપઘાત કરી લીધો છે.
તો બીજી બાજુ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તો મૃતક ચારેય યુવતીઓ ઠાકોર સમાજની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તથા મોટી સંખ્યામાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવતીઓના મૃતદેહની તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર