Home /News /national-international /2022માં સમાપ્ત થઈ શકે છે કોરોના, WHO ચીફે કહ્યું- બસ આ શરતોનું કરવું પડશે પાલન

2022માં સમાપ્ત થઈ શકે છે કોરોના, WHO ચીફે કહ્યું- બસ આ શરતોનું કરવું પડશે પાલન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગેબ્રેસ

Covid-19 Vaccine - ડબ્લ્યુએચઓ (WHO)ના પ્રમુખના જણાવ્યા અનુસાર, 'કેટલાક દેશો સંકુચિત રાષ્ટ્રવાદનો ભોગ બન્યા છે. આ જ કારણ છે કે તેઓ રસી (vaccination)નો સંગ્રહ કરી રહ્યા છે

નવી દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગેબ્રેસે આશા વ્યક્ત કરી છે કે 2022 કોવિડ-19 (corona) મહામારીના અંતનું વર્ષ હોઈ શકે છે. જો કે તેઓએ તેના માટે શરતો પણ લાગુ કરી છે. અને શરત એ છે કે આ બધા દેશો આ મહામારી(corona pandemic)ના ફેલાવાને રોકવા માટે કામ કરે.

બીબીસીના જણાવ્યા અનુસાર, ડબ્લ્યુએચઓના વડાએ તેમના નવા વર્ષના સંદેશમાં "સંકુચિત રાષ્ટ્રવાદ" અને રસીઓના સંગ્રહના વલણની ચેતવણી પણ આપી હતી. ચીનમાં ન્યુમોનિયાનો પહેલો કેસ (કોવિડ-19) નોંધાયાના બે વર્ષ બાદ ગેબ્રેસે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રસીના વિતરણમાં સતત અસમાનતા રહી છે. આ વાયરસને તેનો દેખાવ બદલવાની અને ફેલાવવાની તક આપી રહ્યું છે.

'કેટલાક દેશો સંકુચિત રાષ્ટ્રવાદનો ભોગ બન્યા છે
ડબ્લ્યુએચઓના વડાના મતે , 'કેટલાક દેશો સંકુચિત રાષ્ટ્રવાદનો ભોગ બન્યા છે'. આ જ કારણ છે કે તેઓ રસી (vaccination)નો સંગ્રહ કરી રહ્યા છે. તેથી જ જ્યાં રસી (corona vaccine)ની સૌથી વધુ જરૂર હોય છે, ત્યાં તે પહોંચી નથી રહી કે ખૂબ ઓછી માત્રામાં પહોંચી રહી છે.

આ પણ વાંચો: Gujarat News: 15થી 18 વર્ષ સુધીનાં 35 લાખ બાળકનો મળશે વેક્સીન, 3થી 9 જાન્યુઆરીમાં લાગશે રસી

આ પરિસ્થિતિઓએ કોવિડ-19ના ઓમિક્રોન (omicron) વેરિએન્ટને ફેલાવવા માટે તમામ અનુકૂળ પરિસ્થિતિઓ પૂરી પાડી. પરંતુ જો આપણે રસી વિતરણમાં અસમાનતાને દૂર કરીશું તો આપણે મહામારીને પણ દૂર કરી શકીશું.'

આ પણ વાંચો: દેશમાં 2021માં નવી મેડિકલ કોલેજ, નવા વેલનેસ સેન્ટર બન્યા : PM Modi

ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 22,775 કોવિડ-19 કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીથી 406 લોકોના મોત થયા છે. આ કોવિડ-19મૃત્યુની કુલ સંખ્યા 4,81,486 પર લાવે છે. કોરોનાના કુલ સક્રિય કેસ પણ વધીને 1,04,781 થયા છે. તે ચેપના કુલ કેસોમાં 0.30% છે. દરમિયાન ઓમિક્રોન સંક્રમણના કેસોની સંખ્યા 1,431 સુધી પહોંચી ગઈ છે. તેમાંથી 488 લોકો સાજા થઈને ઘરે ગયા છે. ઓમિક્રોન ચેપ દેશના કુલ 23 રાજ્યોમાં પહોંચી ગયો છે.
First published:

Tags: Corona third wave, Omicron Case, WHO ડબ્લ્યુએચઓ, દેશ વિદેશ