Home /News /national-international /Vijay Diwas 2021: આજે વિજય દિવસની 50મી વર્ષગાંઠ, જ્યારે ભારતે પાકિસ્તાનને ચટાડી હતી ધૂળ, વાંચો વિજયગાથા
Vijay Diwas 2021: આજે વિજય દિવસની 50મી વર્ષગાંઠ, જ્યારે ભારતે પાકિસ્તાનને ચટાડી હતી ધૂળ, વાંચો વિજયગાથા
ભારતનો પાકિસ્તાન પર વિજય
1971 India-Pakistan war: આ ઐતિહાસિક વિજયની ખુશી (India victory) આજે પણ દરેક દેશવાસીઓના મનમાં ઉમંગ ભરી દે છે. વિજય દિવસ વિરતા અને શૌર્યની મિસાલ છે. 16 ડિસેમ્બરનો દિવસ દેશના જવાનોની વીરતા અને શૌર્ય, અદમ્ય સાહસ અને કુર્બાનીની કહાની (The story of the sacrifice) વ્યક્ત કરે છે.
Vijay Diwas 2021: 16 ડિસેમ્બરનો દિવસ સૈનિકોના શૌર્યને સલામ કરવાનો દિવસ છે. આખા દેશણાં 16 ડિસેમ્બરને વિજય દિવસના (Vijay Diwas) રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે 1971ના વરસમાં ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં (India-Pakistan war) ધૂળ ચટાડી હતી. ભારતે પાકિસ્તાન ઉપર જીતનો જશ્ન મનાવ્યો હતો. આ ઐતિહાસિક વિજયની ખુશી (India victory) આજે પણ દરેક દેશવાસીઓના મનમાં ઉમંગ ભરી દે છે. વિજય દિવસ વિરતા અને શૌર્યની મિસાલ છે. 1971ના યુદ્ધમાં ભારતીય સૈનિકોએ (Indian soldiers) મોટા પ્રમાણમાં કુર્બાની આપી હતી. આશરે 3900 ભારતીય સૈનિક વીરગતિને પ્રાપ્ત થયા હતા. જ્યારે 9851 સૈનિકો ઘાયલ થયા હતા.16 ડિસેમ્બરનો દિવસ દેશના જવાનોની વીરતા અને શૌર્ય, અદમ્ય સાહસ અને કુર્બાનીની કહાની (The story of the sacrifice) વ્યક્ત કરે છે.
વિજય દિવસ શા માટે ઉજવવામાં આવે છે? 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ યુદ્ધના અંત પછી 93,000 પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું. 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ પછી પૂર્વ પાકિસ્તાન આઝાદ થયું, જે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. પૂર્વ પાકિસ્તાન (આજે બાંગ્લાદેશ) માં પાકિસ્તાની સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાઝીએ ભારતના પૂર્વ આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સમક્ષ આત્મસમર્પણ કર્યું. 16 ડિસેમ્બરની સાંજે, જનરલ નિયાઝીએ શરણાગતિના કાગળો પર હસ્તાક્ષર કર્યા. ભારત યુદ્ધ જીત્યું. દર વર્ષે આપણે આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ.
16 ડિસેમ્બરની સવારે શું થયું? જનરલ જેકબને માણેકશા તરફથી શરણાગતિની તૈયારી કરવા તાત્કાલિક ઢાકા પહોંચવાનો સંદેશ મળ્યો. તે સમયે જેકબની હાલત બગડતી જતી હતી. ભારત પાસે માત્ર ત્રણ હજાર સૈનિકો છે અને તે પણ ઢાકાથી 30 કિ.મી. બીજી તરફ પાકિસ્તાની સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાઝીનિયાના ઢાકામાં 26 હજાર 400 સૈનિકો હતા. આમ છતાં ભારતીય સેનાએ સંપૂર્ણ રીતે યુદ્ધ પર કબજો જમાવી લીધો. ભારતના ઈસ્ટર્ન આર્મી કમાન્ડર જગજીત અરોરા તેના ક્રૂ સાથે બે કલાકમાં ઢાકા ઉતરવાના હતા અને યુદ્ધવિરામ ટૂંક સમયમાં સમાપ્ત થવાનો હતો. જેકબના હાથમાં કંઈ નહોતું. જેકબ નિયાઝીના રૂમમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં મૌન હતું. શરણાગતિનો દસ્તાવેજ ટેબલ પર રાખવામાં આવ્યો હતો.
નિયાઝીની આંખોમાં આંસુ લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સાંજે 4.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા ઢાકા એરપોર્ટ પર ઉતર્યા હતા. અરોરા અને નિયાઝી એક ટેબલની સામે બેઠા અને બંનેએ આત્મસમર્પણ દસ્તાવેજ પર સહી કરી. નિયાઝીએ પોતાની રિવોલ્વર જનરલ અરોરાને આપી. નિયાઝીની આંખોમાં આંસુ આવી ગયા. સ્થાનિક લોકો નિયાઝીને મારવા તૈયાર હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓએ નિયાઝીને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
વિજયના સમાચાર સાંભળતા જ આખું ઘર ઉજવણીમાં ડૂબી ગયું હતું બીજી તરફ ઈન્દિરા ગાંધી સંસદ ભવનમાં તેમની ઓફિસમાં ટીવી ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. ત્યારે જનરલ માણેકશાએ તેમને બાંગ્લાદેશમાં શાનદાર જીતની જાણકારી આપી હતી. ઈન્દિરા ગાંધીએ ઘોંઘાટ વચ્ચે લોકસભામાં જાહેરાત કરી કે ભારત યુદ્ધ જીતી ગયું છે. ઈન્દિરા ગાંધીના નિવેદન બાદ આખું સદન ઉજવણીમાં ડૂબી ગયું હતું.
1971ના યુદ્ધની રણનીતિ બનાવનારા 3 ભારતીય ઓફિસર સામ માણેકશાઃ ભારતીય પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી ઈચ્છતા હતા કે 1971માં સેના પાકિસ્તાન પર ચડાઈ કરી દે. જો કે ત્યારે ભારતીય સેનાના અધ્યક્ષ સામ માનેકશાએ આમ કરવાની મનાઈ કરી દીધી. માણેકશાએ કહ્યુ કે ભારતીય સેના અત્યારે હુમલા માટે તૈયાર નથી. કહેવાય છે કે ઈન્દિરા ગાંધી આનાથી નારાજ પણ થયા પરંતુ માનેકશાએ તેમને પૂછ્યુ કે તમે યુદ્ધ જીતવા ઈચ્છો કે નહિ. ઈન્દિરાએ કહ્યુ હા. આના પર માણેકશાએ કહ્યુ મને 6 મહિનાનો સમય આપો. હું ગેરેન્ટી આપુ છુ કે જીત તમારી થશે. એક વ્યક્તિ અને સૈન્ય અધિકારી તરીકે તેમનું વ્યક્તિત્વ દમદાર હતું.તેનું જ પરિણામ હતું કે તેઓ રાજકીય લૉબીમાં કોઈના માનીતા નહતા.પણ જે રીતે તેમણે પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા, તેને જોતાં તત્કાલિન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી પણ તેમને માની ગયા.
જનરલ જગજીત સિંહ અરોરાઃ જનરલ માણેકશા અને લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા એવા ભારતીય અધિકારીઓમાં સામેલ છે જેમણે બાંગ્લાદેશને આઝાદી અપાવી હતી. એક ઈન્ટરવ્યુમાં જનરલ માણેકશાએ કહ્યું હતું કે જગજીત સિંહ અરોરાએ 1971માં અસલી કામ કર્યું હતું. પૂર્વ પાકિસ્તાનન આઝાદ કરાવવા માટે શરૂ કરવામાં આવેલા ઓપરેશનનું નેતૃત્વ લેફ્ટિનેંટ જનરલ જગજીત સિંહ અરોરાએ જ કર્યું હતું. સેનાને નાની નાની ટુકડીમાં વિભાજીત કરીને અલગ અલગ રસ્તેથી પાકિસ્તાનની તમામ મહત્વપૂર્ણ પોસ્ટ પર કબજો કરવાની રણનીતિ તેમની હતી. જેના કારણે થોડા જ દિવસમાં ભારતીય સેના ઢાકા પહોંચી ગઈ હતી.
જનરલ જેએફઆર જેકોબઃ મેજર જનરલ જેકોબે 1971ના યુદ્ધની વોર ઓફ મૂવમેંટની રણનીતિ બનાવી હતી. જે અંતર્ગત ભારતીય સેનાને પાકિસ્તાની સેનાના કબજા વાળા શહેરોને છોડીને વૈકલ્પિક રસ્તેથી મોકલવામાં આવી હતી. જેકોબને ભારત જ નહીં બાંગ્લાદેશમાં પણ અનેક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. 16 ડિસેમ્બર 1971ના રોજ ફિલ્ડ માર્શલ માણેકશાએ લેફ્ટનન્ટ જનરલ જેકોબને ઢાકા જવા અને પાકિસ્તાનને આત્મ સમર્પણ કરાવાની તૈયારી કરવાનો આદેશ આપ્યો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર