ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં ભૂકંપના ઝટકાના કારણે ફરી એક વાર લોકોમાં ડરનો માહોલ છે. હકીકતમાં જોઈએ તો, ઉત્તરકાશી જિલ્લામાં રાતના 2 વાગેને 12 મિનીટ પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના ઝટકાના કારણ ઉત્તરકાશી જિલ્લાના લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 2.9 નોંધાઈ છે. જેનું કેન્દ્ર ઉત્તરકાશીમાં ધરતીથી 10 કિમી નીચે હોવાનું કહેવાય છે.
અગાઉ ઈસરોએ જોશીમઠને લઈને સેટેલાઈટ તસવીરો જાહેર કરી હતી
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા (ઈસરો)ના નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટરે પહેલી વાર જોશીમઠની સેટેલાઈટ તસ્વીરો જાહેર કરી છે, જેમાં દેખાઈ રહ્યું છે કે, જોશીમઠ શહેર કેવી રીતે ધસી રહ્યું છે. આ તમામ તસ્વીરો કાટરેસૈટ-2 એસ સેટેલાઈટથી લેવામાં આવી છે. હકીકતમાં જોઈએ તો, જોશીમઠમાં જમીન ધસ્યા બાદ ઘરો અને રસ્તા પર મોટી મોટી તિરાડો પડી રહી છે, જેનું દેશના મોટા મોટા વૈજ્ઞાનિકો અધ્યયન કરી રહ્યા છે. જોશીમઠ જમીન ધસવાના કારણે કેટલીય સેટેલાઈટ તસ્વીરો હૈદરાબાદના નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટરે જાહેર કરી છે.
ઈસરોએ જાહેર કરેલી જોશીમઠની સેટેલાઈટ તસ્વીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, જોશીમઠનો ક્યો ભાગ જમીનમાં સરકી જશે. આ તમામ તસ્વીરો કાટરેસૈટ-2એસ સેટેલાઈટથી લેવામાં આવી છે. ઈસરોએ પોતાની સેટેલાઈટથી જોશીમઠની ત્રાસદીનું નીરિક્ષણ કર્યું છે, જેની તસ્વીર ખૂબ જ ડરામણી છે. ઈસરોએ સેટેલાઈટ તસ્વીર જાહેર કરી છે, તેમના અનુસાર તો આખુ જોશીમઠ જમીનમાં સમાઈ જશે. તસવીર જે પીળા કલારનું માર્ક કરેલું છે, જે સેંસેટિવ ઝોન છે. આ પીળા ઘેરામાં આખુ શહેર આવે છે. તેને જોઈને એવું લાગી રહ્યું છે કે, જેમ કે આખુ શહેર જમીનમાં સમાઈ જવાનું હોય. ઈસરોના આર્મી હેલીપેડ અને નૃસિંહ મંદિરને પણ માર્ક કર્યું છે. આ રિપોર્ટ ઈસરોના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટરે જાહેર કરી છે.
12 દિવસમાં જોશીમઠને સૌથી વધારે નુકસાન પહોંચ્યું
કદાચ એનઆરએસસીના રિપોર્ટના આધાર પર જ ઉત્તરાખંડ સરકાર જોશીમઠમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે અને જે વિસ્તારમાં વધારે ખતરો છે. ત્યાંના લોકોને પહેલા સુરક્ષિત જગ્યા પર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. એનઆરએસસીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે,એપ્રિલથી નવેમ્બર 2022 સુધી જમીનનો મામલો ધીમો હતો. આ સાત મહિનામાં જોશીમઠ 8.9 સેન્ટીમીટર જમીન નીચે આવી છે. પણ 27 ડિસેમ્બર 2022થી લઈને 8 જાન્યુઆરી 2023 સુધી એટલે કે, 12 દિવસમાં જમીન ધસવાની તીવ્રતા 5.4 સેન્ટીમીટર થઈ ગઈ છે. એટલે કે, ખાલી 12 દિવસમાં જોશીમઠને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર