લખનઉ. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અનેક જિલ્લાઓમાં રવિવારે જ્યાં વરસાદના કારણે લોકોને ઉકળાટ અને ગરમીથી રાહત મળી, તો બીજી તરફ અનેક સ્થળે આકાશીય વીજળી (Lightning) ત્રાટકવાથી 40 લોકોનાં મોત થયા છે. પ્રાકૃતિક આપત્તિમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. વીજળી ત્રાટકવાથી અસંખ્ય પશુઓના પણ મોત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ આકાશીય વીજળીની ઝપેટમાં આવવાના કારણે જીવ ગુમાવનારા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. તેમણે દિવંગતોના પરિજનોને નિયમ અનુસાર, રાહત રકમ તાત્કાલિક આપવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે વીજળી ત્રાટકવાથી ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર મળી રહે તેના નિર્દેશ આપ્યા છે.
મળતી જાણકારી મુજબ, કાનપુર અને આસપાસના જિલ્લાઓમાં 18, પ્રયાગરાજમાં 13, કૌશમ્બીમાં 3, પ્રતાપગઢમાં 1, આગ્રામાં 3 અને વારાણસી તથા રાયબરેલી જિલ્લામાં 1-1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. વીજળી ત્રાટકવાથી અનેક લોકો ઘાયલ પણ થયા છે. સૌથી વધુ નુકસાન કાનપુર મંડલમાં થયું છે. કાનપુર ગ્રામ્યમાં ભોગનીપુર તાલુકાના અલગ-અલગ ગામોમાં 5, ઘાટમપુરમાં 1, ફતેહપુર જિલ્લામાં 7 અને હમીરપુરના ગામોમાં 2 લોકોનાં મોત થયા છે.
Three persons and 44 animals died due to lightning in UP's Firozabad yesterday
"Lightning killed 42 goats, a cow and a bull in two villages here," said SDM Rajesh Verma (in pic 3)
"Three persons including farmers died due to lightning," said Rajveer Singh, CO (in pic 4) pic.twitter.com/ot6ElGTFzd
એડીએમ ફાઇનાન્સ અને રેવન્યૂ એમ.પી. સિંહનું કહેવું છે કે 11 મવેશીઓના પણ મોત થયા છે. બીજી તરફ બાંદાના મોતિયારી ગામમાં 13 વર્ષીય બાળકી અને ઉન્નાવના સરાય બૈદરા ગામમાં બે બાળકોએ જીવ ગુમાવ્યા છે. ઘાટમપુરમાં 38 મવેશીઓના મોત થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર