ભોપાલ: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતી મોટા ભાગે પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં તેમણે આપેલું એક નિવેદન વધારે ચર્ચામાં આવ્યું છે.
હકીકતમાં લોધી સમાજના એક કાર્યક્રમમાં પહોંચેલા ઉમા ભારતીએ કહ્યું કે, "હું લોધી સમાજને રાજકીય બંધનમાંથી મુક્ત કરુ છું, હું ચૂંટણીમાં આવીશ, મંચ પરથી સંબોધન પણ કરીશ, પણ હું એવું નહીં કહું કે, લોધિયો તમે ભાજપને વોટ આપજો. હું તો બધાને કહું છું કે, તમે ભાજપને વોટ કરો, કારણ કે, હું પાર્ટીની નિષ્ઠાવાન સિપાહી છું."
लोधी समाज के लिये बड़ा संदेश:
— बीजेपी की वरिष्ठ नेता एवं पूर्व मुख्यमंत्री उमा भारती ने लोधी समाज को संकेत दिया है कि अब बीजेपी को वोट देने की ज़रूरत नहीं है।
मध्यप्रदेश बचाने के महाअभियान में उमा भारती जी का स्वागत है।
તેમના આ નિવેદન પર કોંગ્રેસ પાર્ટીએ પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટ કરીને લખ્યું છેકે, " લોધી સમાજ માટે આ બહુ મોટો મેસેજ છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ લોધી સમાજને સંકેત આપ્યો છે કે, હવે ભાજપને વોટ આપવાની જરુર નથી. મધ્ય પ્રદેશને બચાવવા માટેના મહા અભિયાનમાં ઉમા ભારતીજીનું સ્વાગત છે. મધ્ય પ્રદેશ માંગે કમલનાથ."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર