Home /News /national-international /ઉદયપુર મર્ડર કેસ : કન્હૈયાલાલના પરિવારોને આપવામાં આવશે 31 લાખની સહાય

ઉદયપુર મર્ડર કેસ : કન્હૈયાલાલના પરિવારોને આપવામાં આવશે 31 લાખની સહાય

મંગળવારે ધોળા દિવસે કન્હૈયાલાલની હત્યા કરવામાં આવી

Udaipur Murder Case - કન્હૈયાલાલની હત્યાની તપાસ માટે રચાયેલી SITની ટીમ પણ ઉદયપુર પહોંચી ગઈ છે

ઉદયપુર : લેક સિટી ઉદયપુરમાં ભયાનક હત્યાનો (Udaipur Murder Case)ભોગ બનેલા કન્હૈયાલાલના પરિજનોને 31 લાખના વળતરની જાહેરાત કરવામાં આવી છે અને પરિવારના બે સભ્યોને કરાર આધારિત નોકરી આપવામાં આવશે. જ્યારે આ મામલે કન્હૈયાલાલ (Kanhaiyalal)અને આરોપીઓ વચ્ચે સમજુતી કરાવનાર ધાનમંડી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ભંવરલાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કન્હૈયાલાલના (Kanhaiyalal Murder)મૃતદેહનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ માટે પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.

કન્હૈયાલાલના મૃતદેહના પોસ્ટમોર્ટમને ધ્યાનમાં રાખીને સમગ્ર આસપાસના વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. હોસ્પિટલના શબઘરમાં પહોંચેલા ડીઆઈજી રાજેન્દ્ર પ્રસાદ ગોયલે કહ્યું કે શહેરમાં શાંતિ છે. શહેરના દરેક ખૂણે-ખૂણે પોલીસ ફોર્સ તૈનાત છે. પોલીસના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉદયપુર પહોંચી ગયા છે.

SITની ટીમ ઉદયપુર પહોંચી

કન્હૈયાલાલની હત્યાની તપાસ માટે રચાયેલી SITની ટીમ પણ ઉદયપુર પહોંચી ગઈ છે. આ ટીમમાં એસઓજી એડીજી અશોક રાઠોડ, એટીએસ આઈજી પ્રફુલ કુમાર અને એક એસપી અને એક એડિશનલ એસપીનો સમાવેશ થાય છે. આ ટીમ અહીં હત્યા સાથે જોડાયેલા તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરશે. જે બાદ SIT પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે.

આ પણ વાંચો - 23 વર્ષીય એથ્લીટે આપઘાત કર્યો, કહ્યું- મેં બળાત્કાર નથી કર્યો, ખોટો કેસ કરીને મને જેલમાં મોકલ્યો

આજે ડુંગરપુર બંધનું એલાન

બીજી તરફ આ હત્યાકાંડના વિરોધમાં બુધવારે ડુંગરપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે. હિન્દુ સંગઠનો અને વેપારી સંગઠનોએ આ બંધનું એલાન આપ્યું છે. ભાજપે આ બંધને સમર્થન આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંગઠનો બંધ દરમિયાન વિરોધ પણ કરશે. બંધને ધ્યાનમાં રાખીને અહીં પોલીસ-પ્રશાસન સંપૂર્ણ રીતે સતર્ક થઈ ગયું છે. કારણ કે ઉદયપુરમાં હત્યા બાદ સમગ્ર રાજ્યમાં કલમ-144 લાગુ છે. સાથે જ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.

મંગળવારે ધોળા દિવસે હત્યા કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે મંગળવારે ધોળા દિવસે કન્હૈયાલાલની હત્યા બાદ ઉદયપુરમાં જબરદસ્ત તણાવ છે. જે બાદ રોષે ભરાયેલા લોકોએ ત્યાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. સ્થિતિને જોતા ઉદયપુરના ઘણા વિસ્તારોમાં રાત્રે કર્ફ્યુ લગાવવો પડ્યો હતો. પોલીસે ઉદયપુર શહેરને છાવણીમાં ફેરવી દીધું છે.
First published:

Tags: Murder case, Rajasthan news