Home /News /national-international /Turkey Syria Earthquake updates: તુર્કી-સીરિયામાં ભૂંકપથી 15 હજારથી વધુ લોકોનાં મોત, કાટમાળમાં પોતાના સ્વજનો શોધી રહ્યા છે લોકો

Turkey Syria Earthquake updates: તુર્કી-સીરિયામાં ભૂંકપથી 15 હજારથી વધુ લોકોનાં મોત, કાટમાળમાં પોતાના સ્વજનો શોધી રહ્યા છે લોકો

હજુ પણ મોટી સંખ્યામાં લોકો કાટમાળની નીચે ફસાયેલા છે

દક્ષિણ તુર્કી અને ઉત્તરી સીરિયામાં 15,000થી વધુ લોકોના જીવ લેનાર ભૂકંપના બે દિવસ બાદ નેટબ્લોક્સ ઇન્ટરનેટ ઓબ્ઝર્વેટરીએ બુધવારે જણાવ્યું હતું કે, તુર્કીમાં ટ્વિટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    તુર્કી અને સીરિયામાં ભૂકંપ (Turkey-Syria Earthquake Updates)ના કારણે મૃતકોની સંખ્યા 15 હજારને પાર પહોંચી ગઈ છે. વ્યાપક તબાહી વચ્ચે મોતનો આંકડો (Turkey-Syria Earthquake Deaths) સતત વધી રહ્યો છે. 50 હજારથી વધુ લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ હજુ પણ મોટી સંખ્યામાં લોકો કાટમાળની નીચે ફસાયેલા છે. ભારત, ચીન અને અમેરિકા સહિત અનેક દેશોએ તુર્કી અને સીરિયામાં મદદ (Help Turkey) મોકલી છે. આમાં બચાવ ટીમો તેમજ તબીબી વ્યવસ્થા અને રાહત સામગ્રીનો સમાવેશ થાય છે.

    તુર્કી અને સીરિયામાં હજુ પણ ભૂકંપના આફટર શોક (Turkey-Syria Earthquake 2023) અનુભવાઈ રહ્યા છે. અમેરિકા જિયોલોજિકલ સર્વે અનુસાર, તુર્કીના શહેર નુરદાગીમાં ફરી એકવાર 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી બાદ કાટમાળ નીચે ફસાયેલા લોકો હજુ પણ જીવિત હોવાની આશંકા છે. જેને જોતા રાહત અને બચાવ કાર્ય ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે, જે લોકો જીવિત છે તેઓ કાટમાળના ઢગલામાં પોતાના પ્રિયજનોને શોધી રહ્યા છે. દિવસ-રાત કાટમાળનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

    આ સાથે જ વધતી ઠંડી અને હિમવર્ષાના કારણે બચાવ કાર્યમાં પણ મુશ્કેલી ઉભી થઇ રહી છે. થીજવતા તાપમાનમાં કાટમાળ નીચે દટાયેલા લોકોને હવે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આંકડાઓ અનુસાર, તુર્કી અને સીરિયામાં કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે લગભગ એક લાખ લોકો બચાવ કાર્યમાં લાગેલા છે, જેમાં અલગ અલગ દેશોની ટ્રેન્ડ ટીમો પણ સામેલ છે. જો કે, બચાવનાર લોકોની સંખ્યા હજુ પણ ઘણી ઓછી છે. કાટમાળની અંદરથી લોકો ચીસો પાડી રહ્યા છે, પરંતુ તેમને બહાર કાઢનાર કોઈ નથી. તો ચાલો જાણીએ તુર્કી-સીરિયામાં આવેલા ભૂકંપના મોટા અપડેટ્સ (Turkey-Syria Earthquake Big Updates)

    - અધિકારીઓ અને ડોકટરોએ જણાવ્યું હતું કે, સોમવારે 7.8ની તીવ્રતાના ભૂકંપમાં તુર્કી અને સીરિયામાં 15,000થી વધુ લોકો માર્યા ગયા છે. બચાવ કામગીરી ઝડપથી વધી રહી હોવાથી મૃતકો અને ઘાયલોની સંખ્યા પણ વધી રહી છે.

    આ પણ વાંચો: ભારતની આ જગ્યાએ ખુલી 'વિશ્વની સૌથી મોંઘી દુકાન'

    - 'ઓપરેશન દોસ્ત'ની વિગતો આપતાં વિદેશ મંત્રાલયે (એમઇએ) બુધવારે કહ્યું હતું કે, ભૂકંપગ્રસ્ત તુર્કીના દૂરના ભાગોમાં દસ ભારતીય નાગરિકો ફસાયેલા છે અને એક નાગરિક લાપતા છે.

    - વિદેશ મંત્રાલયે માહિતી આપતા કહ્યું કે, 10 ભારતીય નાગરિકો સુરક્ષિત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગુમ થયેલ ભારતીય નાગરિક માલ્ટામાં તુર્કીની બિઝનેસ ટ્રિપ પર હતો. વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સંજય વર્માએ કહ્યું કે તુર્કીમાં ભારતીયો પ્રમાણમાં સુરક્ષિત છે. તેમણે કહ્યું કે સરકાર તુર્કીમાં ગુમ થયેલા ભારતીયના પરિવારના સભ્યો સાથે સંપર્કમાં છે.

    - વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સોમવારના વિનાશક ભૂકંપ પછી તુર્કી અને સીરિયામાં તબીબી પુરવઠો સાથે નિષ્ણાંત ટીમો અને ફ્લાઇટ્સ તૈનાત કરી રહ્યું છે. WHO ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે બુધવારે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ત્રણ લોકોની એક ટીમ પણ સેવાઓના સંકલન માટે રવાના થશે.

    - તુર્કીની પોલીસે કરેલા એક ટ્વીટ મુજબ તુર્કીના જીવલેણ ભૂકંપ અંગે સોશિયલ મીડિયા પર "ઉશ્કેરણીજનક પોસ્ટ્સ" પોસ્ટ કરવા બદલ તુર્કીની પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. સાથે જ 18 લોકોની અટકાયત કરવામાં આવી છે.

    - દક્ષિણ તુર્કી અને ઉત્તરી સીરિયામાં 15,000થી વધુ લોકોના જીવ લેનાર ભૂકંપના બે દિવસ બાદ નેટબ્લોક્સ ઇન્ટરનેટ ઓબ્ઝર્વેટરીએ બુધવારે જણાવ્યું હતું કે, તુર્કીમાં ટ્વિટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: આ ગામમાં એક પણ મહિલા નથી પહેરતી કપડા

    - રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સોમવારે આવેલા ભૂકંપના કેન્દ્ર અને સૌથી વધુ અસરગ્રસ્ત હતાય પ્રાંત, પજારાકિકની મુલાકાત લેવાના છે, જેમાં આપત્તિગ્રસ્ત વિસ્તારમાં વધુ સરકારી મદદની માંગ કરવામાં આવી રહી છે.

    - વિનાશક ભૂકંપના કારણે સર્જાયેલી ભીષણ તબાહીના બે દિવસ બાદ પણ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવા જેવી ઘટનાઓ બહુ ઓછી છે. મોટાભાગના મૃતદેહો કાટમાળમાં મળી આવ્યા છે. એટલું જ નહીં, તીવ્ર ઠંડી અને સતત હળવા આંચકા (આફ્ટરશોક)ને કારણે બચાવ કાર્ય વધુ મુશ્કેલ બન્યું છે.

    - સાથે જ પાડોશી દેશ સીરિયામાં પણ સ્થિતિ વધુ ખરાબ છે. આ ભૂકંપની અસર દેશના ઘણા શહેરો અને નગરો પર પણ પડી છે, જે છેલ્લા 12 વર્ષથી ગૃહયુદ્ધ અને શરણાર્થી સંકટથી ગ્રસ્ત છે, જેને સરકાર અને વિદ્રોહીઓએ સંઘર્ષ દ્વારા છોડી દીધા છે. આવા શહેરો-નગરોમાં મદદ માટે રડાવનારા લોકોનો અવાજ પણ થાકી ગયો છે.
    " isDesktop="true" id="1335099" >

    - ભારતે જી-20 હેઠળ સીરિયાને મદદની જાહેરાત કરી છે. ભારત સતત તુર્કી અને સીરિયાની મદદ કરવામાં લાગેલું છે. તુર્કીમાં હાલ એનડીઆરએફની ઘણી ટીમો લોકોને બચાવવામાં લાગી છે.
    First published:

    Tags: Earthquakes, Turkey, ગુજરાત, તુર્કી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો