Home /News /national-international /માતા ગંગા સમાન છે ભાજપ... પાપોમાંથી મુક્તિ મેળવવા તેમાં ડૂબકી લગાવો: ત્રિપુરાના સીએમ
માતા ગંગા સમાન છે ભાજપ... પાપોમાંથી મુક્તિ મેળવવા તેમાં ડૂબકી લગાવો: ત્રિપુરાના સીએમ
માતા ગંગા સમાન છે ભાજપ...
ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા માટે ડાબેરી નેતાઓને અપીલ કરતા, ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહાએ રવિવારે કહ્યું કે, તેમની પાર્ટી ગંગા નદી જેવી છે અને તેમાં ડૂબકી મારવાથી તેઓ તમામ પાપોથી મુક્ત થઈ જશે.
અગરતલા: ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહાએ રવિવારે ડાબેરી નેતાઓને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા માટે અપીલ કરતા કહ્યું કે, તેમનો પક્ષ ગંગા નદી જેવો છે અને તેમાં ડૂબકી મારવાથી તેઓ તમામ પાપોથી મુક્ત થઈ જશે. જન વિશ્વાસ રેલીના ભાગરૂપે દક્ષિણ ત્રિપુરાના કાકરાબન ખાતે એક જાહેર સભાને સંબોધતા સાહાએ કહ્યું કે, આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીતનો વિશ્વાસ છે.
તેમણે કહ્યું કે, 'હું તેમને અપીલ કરું છું કે જેઓ હજુ પણ સ્ટાલિન અને લેનિનની વિચારધારામાં વિશ્વાસ રાખે છે, તેઓ ભાજપમાં જોડાઓ કારણ કે તે ગંગા નદી જેવી છે. જો તમે ગંગામાં પવિત્ર સ્નાન કરશો તો તમારા બધા પાપ ધોવાઈ જશે.’ તેણે કહ્યું કે, ‘ટ્રેનના ડબ્બા હજી ખાલી છે. ખાલી ડબ્બામાં બેસો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આપણને બધાને તે મુકામ પર લઈ જશે જ્યાં આપણે હોવું જોઈતું હતું.'
વિપક્ષી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્ક્સિસ્ટ (સીપીઆઈ-એમ) પર નિશાન સાધતા સાહાએ આરોપ લગાવ્યો કે, કમ્યુનિસ્ટ પાર્ટીએ લોકોના લોકતાંત્રિક અધિકારોનું દમન કર્યું અને ત્રિપુરામાં વર્ષો સુધી શાસન કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, “સામ્યવાદી શાસન દરમિયાન લોકશાહી ન હતી કારણ કે તેઓ હિંસા અને આતંકની રણનીતિમાં માનતા હતા. દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં ડાબેરી શાસન દરમિયાન 69 વિપક્ષી નેતાઓની હત્યા કરવામાં આવી હતી. કાકરાબાન એ અપવાદ નહોતું જ્યાં ઘણી રાજકીય હત્યાઓ થઈ હતી.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર