Home /News /national-international /Coronavirus Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 9119 નવા કેસ નોંધાયા, કાલથી 1.76% ઓછા

Coronavirus Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 9119 નવા કેસ નોંધાયા, કાલથી 1.76% ઓછા

પ્રતીકાત્મક તસવીર

Covid 19 cases in India: છેલ્લા 24 કલાકમાં 10,264 લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોનાથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 33,967,962 થઈ ગઈ છે.

Coronavirus Cases in India: દેશમાં  (Corona cases in India) છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,119 કેસ નોંધાયા છે અને 396 લોકોના મોત થયા છે. કોરોનાના કુલ કેસની વાત કરીએ તો, તેમની સંખ્યા વધીને 34,544,882 થઈ ગઈ છે. બીજી તરફ, જો આપણે કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વિશે વાત કરીએ, તો તે વધીને 109,940 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 10,264 લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોનાથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 33,967,962 થઈ ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 466, 980 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 90,27,638 લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 1,19,38,44,741 રસીકરણ કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં 50 હજારથી વધુ લોકોના કોરોનાના કેસ થયા

દિલ્હીમાં કોરોનાની વાત કરીએ તો ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 35 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે હવે એક્ટિવ કેસની સંખ્યા 311 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમણને કારણે કુલ મૃત્યુઆંક 25,095 પર પહોંચી ગયો છે. જ્યારે, 20 નવા લોકો સ્વસ્થ હોવાના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં 54,268 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી માત્ર 0.06 લોકો જ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં, 1,11,395 લોકોને રસી આપવામાં આવી છે. આ સાથે દિલ્હીમાં અત્યાર સુધીમાં 2,20,63,463 લોકોને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચો - Delhi Air Pollution: દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, માત્ર CNG-ઈલેક્ટ્રિક વાહનોને જ મંજૂરી

ગુજરાતમાં સોમવારે 4,52,020 લોકોને કોરોનાની રસી અપાઇ

ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો, બુધવારે કોરોનાના નવાં 29 કેસ નોંધાયા છે અને 4,52,020 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. સોમવારે સૌથી વધુ અમદાવાદમાં 13 કેસ નોંધાયા છે. નવાં 29 કેસ સામે 32 લોકો સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવતા એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 316 થઇ છે. આજે અમદાવાદમાં 13, વડોદરમાં ત્રણ, વલસાડમાં ત્રણ, ગાંધીનગરમાં બે, રાજકોટમાં બે, સુરતમાં બે, અરવલ્લીમાં એક, ગીર-સોમનાથમાં એક, મોરબીમાં એક અને નવસારીમાં એક કેસ નોંધાયો છે.

આ પણ વાંચો - મહારાષ્ટ્ર: ડિસેમ્બર મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, ડોક્ટરોએ વ્યક્ત કરી આશંકા
" isDesktop="true" id="1154958" >

આ સિવાયના 23 જિલ્લઓમાં એકપણ કેસ નોંધાયો નથી. નવાં 29 દર્દીઓ સામે આજે 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
First published:

Tags: Coronavirus, COVID-19, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો