વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી પંચ તરફથી વધુ એક રાહત મળી છે. રાજસ્થાનમાં વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીને સંબોધિત કરી હતી, આ દરમિયાન તેઓએ પાકિસ્તાનનો ઉલ્લેખ કરી પરમાણુ હથિયાર અંગે વાત કરી હતી, કોંગ્રેસ દ્વારા આ નિવેદનને લઇને ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ 21 એપ્રિલે રાજસ્થાનના બાડમેરમાં રેલી દરમિયાન પાકિસ્તાનને ચેતાવણી આપતા કહ્યું હતું કે ભારતના પરમાણુ હથિયાર દિવાળી માટે નથી. તેઓએ કહ્યું હતું કે પાકિસ્તાન કહે છે કે અમારી પાસે ન્યૂક્લિયર બટન છે, આપણી પાસે શું છે, આ દિવાળી માટે રાખ્યા છે ?
In a matter related to a complaint concerning alleged violations in Model Code of Conduct in a speech delivered by PM Narendra Modi at Barmer, Rajasthan on 21.04.2019, EC said no such violation of the extant advisories/provisions is attracted. (file pic) pic.twitter.com/Oyx5GMgBti
જનસભા સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાનને મળેલી છૂટને કારણે જ આપણા દેશમાં આતંકી હુમલા થતા રહે છે. આતંકના આકાઓને સબક શીખવવા માટે આપણે તેના ઘરમાં ઘૂસીને માર્યા. ભારતે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિ છોડી દીધી. આ યોગ્ય જ થયું ને ? તમે પણ આવું જ ઇચ્છતા હતા ને ? આપણે આતંકીઓના મનમાં ડર પેદા કર્યો છે, આપણે પાકિસ્તાનની અકળ કાઢી નાખી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર