Home /News /national-international /પ્રજાસત્તાક દિવસ: દિલ્હીમાં મંડરાયો આતંકી ખતરો, પોલીસે જાહેર કરી એડવાઈઝરી, 15 ફેબ્રુઆરી સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ
પ્રજાસત્તાક દિવસ: દિલ્હીમાં મંડરાયો આતંકી ખતરો, પોલીસે જાહેર કરી એડવાઈઝરી, 15 ફેબ્રુઆરી સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ
દિલ્હી પોલીસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદ વિરોધી પગલાંને વધુ સઘન બનાવ્યા છે. (પીટીઆઈ પ્રતીકાત્મક ફોટો)
દિલ્હી પોલીસ કમિશનર દ્વારા સોમવારે જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ નિયમનું ઉલ્લંઘન ગુનાની શ્રેણીમાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ 15 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.
નવી દિલ્હી : દિલ્હી પોલીસ કમિશનરે 26 જાન્યુઆરી પહેલા આતંકવાદી ગતિવિધિઓના ઇનપુટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં પેરાગ્લાઇડર, પેરામોટર જેવા હવાઈ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંતર્ગત હેંગ ગ્લાઈડર્સ, માનવરહિત એરિયલ એરક્રાફ્ટ જેવા કે રમકડા, માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ, માઈક્રો લાઈટ એરક્રાફ્ટ, રિમોટલી ઓપરેટેડ એરક્રાફ્ટ, ડ્રોન, હોટ એર બલૂન, નાના પાવર્ડ એરક્રાફ્ટ, ક્વોડકોપ્ટર અને પેરા જમ્પિંગ વગેરે પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સોમવારે દિલ્હી પોલીસ કમિશનર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ નિયમનું ઉલ્લંઘન ગુનાની શ્રેણીમાં આવશે. આ પ્રતિબંધ 15 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.
દિલ્હી પોલીસ કમિશનર દ્વારા આ આદેશ એવા સમયે રજુ કરવામાં આવ્યો છે જ્યારે દિલ્હી પોલીસે બે લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 34 પિસ્તોલ કબજે કરી છે અને હથિયાર સપ્લાય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓની ઓળખ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના રહેવાસી નાવેદ રાણા (21) અને સલીમ (39) તરીકે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે હથિયારોનો કન્સાઈનમેન્ટ ગોગી ગેંગના એક સભ્યને પહોંચાડવાનો હતો.
અગાઉ, અધિકારીઓએ 20 જાન્યુઆરીએ કહ્યું હતું કે દિલ્હી પોલીસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદ વિરોધી પગલાં અને પેટ્રોલિંગમાં વધારો કર્યો છે. તેમણે જણાવ્યું કે તમામ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અને સ્ટેશન હાઉસ ઓફિસર્સ 'રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન' અને 'માર્કેટ વેલ્ફેર એસોસિએશન'ના સભ્યો સાથે બેઠક કરી રહ્યા છે અને તેમને પ્રજાસત્તાક દિવસ માટે લેવામાં આવેલા સુરક્ષા પગલાં વિશે માહિતી આપી રહ્યા છે.
પોલીસે લોકોને સતર્ક રહેવા અને શંકાસ્પદ કોઈપણ બાબતની જાણ કરવા પણ વિનંતી કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા પર પણ જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. વિશેષ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) દીપેન્દ્ર પાઠકે કહ્યું હતું કે, 'અમે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને આતંકવાદ વિરોધી પગલાં મજબૂત કર્યા છે. અમે કોઈપણ અસામાજિક તત્વ કે આતંકવાદીને તેમની યોજનામાં સફળ થવા દઈશું નહીં.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર