Home /News /national-international /ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માગવાળી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી, અરજીકર્તાને લગાવી ફટકાર

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માગવાળી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી, અરજીકર્તાને લગાવી ફટકાર

આ ઉપરાંત જો તમારે દુધાળા પશુઓ માટે ફાર્મ શરું કરવું છે તો તેની સ્થાપના માટે પણ સરકાર તરફથી મદદ મળે છે. જેમાં જુદા જુદા પશુઓના યુનિટ મુજબ સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત જાફરાબાદી ભેંસના તબેલા માટે રૂ. 37,000/-, બન્ની ભેંસના તબેલા માટે રૂ. 38,000/-, સુરતી ભેંસ માટે રૂ. 30,100/-, મહેસાણી ભેંસ રૂ. 32,200/-, ગીર ગાય 22,200/-, કાંકરેજ ગાય રૂ. 19,700/-, એચ.એફ. ગાય રૂ. 33,200/-, જર્શી ગાય રૂ. 28,200/- અથવા બેંક દ્વારા કરવામાં આવેલ ધિરાણ બે માંથી જે ઓછું હશે તે રકમ ના વાર્ષિક વ્યાજના વધુમાં વધુ વ્યાજ દર 12% સામે 1 (એક) થી 4 (ચાર) ગાય-ભેંસના એકમ માટે 100% વ્યાજ સહાય મળે છે.

સુપ્રીમ કોર્ટે ગાયને રાષ્ટ્રી પશુ ઘોષિત કરવાની માગવાળી અરજી પર સુનાવણી કરવાની ઘસીને ના પાડી દીધી છે.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગાયને રાષ્ટ્રી પશુ ઘોષિત કરવાની માગવાળી અરજી પર સુનાવણી કરવાની ઘસીને ના પાડી દીધી છે. કોર્ટે આ સંબંધમાં અરજી દાખલ કરનારા અરજીકર્તાને આકરાં શબ્દોમાં ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાનું કામ કોર્ટનું છે ? કોર્ટે અરજીકર્તાને એવું પણ પૂછ્યું કે, તેનાથી કોના મૂળ અધિકારોનું હનન થઈ રહ્યું છે ? જસ્ટિસ સંજય કિશન કૌલની પીઠ સમક્ષ અરજીકર્તાના વકીલે કહ્યું કે, સરકાર ગાયોના રક્ષણની વાત કરે છે. ભારત સરકાર માટે ગાયોનું રક્ષણ અત્યંત જરુરી છે. અમને ગાયથી બધું જ મળે છે.

આ પણ વાંચો: દિલ્હીના લાહૌરી ગેટ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, એક બાળકીનું મોત, 4 લોકો ફસાયા

અરજીકર્તાના વકીલે કોર્ટને કહ્યું કે, સરકારને આ દિશામાં વિચાર કરવા માટે નિર્દેશ જાહેર કરે.ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે એક કેસમાં સુનાવણી બાદ અલ્હાબાદ હાઈકોર્ટે ગાયોની હાલત અને ગૌ હત્યાની વધતી ઘટનાઓને લઈને અત્યંત મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરી સંસદમાં બિલ રજૂ કરવાની ભલામણ આપી હતી. કોર્ટે કહ્યું હતું કે, ગાયોની સુરક્ષાને હિન્દુઓના મૌલિક અધિકારોમાં સામેલ કરવા જોઈએ.

ગાય ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ


હાઈકોર્ટના જણાવ્યા અનુસાર, ગાયને કોઈ એક ધર્મના દાયરામાં બાંધી શકાય નહીં.આ ભારતીય સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ છે. કોર્ટે એવું પણ કહ્યું હતું કે, પોતાની સંસ્કૃતિ બચાવાની દરેક ભારતવાસીની જવાબદારી છે. ખાલી ટેસ્ટ માટે કોઈએ તેને મારી ખાવાનો અધિકાર ક્યારેય આપી શકાય નહીં. હાઈકોર્ટે કહ્યું હતું કે, ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવું જોઈએ અને ગૌરક્ષા માટે હિન્દુઓના મૌલિક અધિકારોમાં તેને રાખવું જોઈએ. આવું એટલા માટે કેમ કે જ્યારે દેશની આસ્થા અને સંસ્કૃતિ પર ઘા મારવામાં આવે છે, તો તેનાથી દેશ નબળો પડે છે.
First published:

Tags: Cow, Supreme Court