Home /News /national-international /જામીન મળ્યા બાદ પણ કેદીઓને મુક્ત કરવામાં વિલંબ, સુપ્રીમ કોર્ટે આપ્યા 7 મહત્વના નિર્દેશ

જામીન મળ્યા બાદ પણ કેદીઓને મુક્ત કરવામાં વિલંબ, સુપ્રીમ કોર્ટે આપ્યા 7 મહત્વના નિર્દેશ

કેદીને જામીન તો મળી ગયા, પણ છોડવામાં નથી આવતા...

Supreme Court News: જામીન મળ્યા બાદ પણ ઘણા અંડરટ્રાયલ કેદીઓ જેલમાં બંધ છે. જામીન મળવામાં વિલંબના મામલામાં હવે સુપ્રીમ કોર્ટે જરૂરી ગાઈડલાઈન જાહેર કરી છે. નોંધનીય છે કે, બંધારણ દિવસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અન્ડરટ્રાયલ કેદીઓને લઈને ભાવનાત્મક અપીલ કરી હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: અન્ડરટ્રાયલ કેદીઓને જામીન મળવામાં વિલંબને લઈને સુપ્રીમ કોર્ટે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે આ અંગે કેટલીક મહત્વપૂર્ણ ગાઈડલાઈન જાહેર કરી છે. જામીન મળ્યા બાદ કસ્ટડીમાં રહેલા કેદીઓ માટે કોર્ટે 7 મહત્વની સૂચનાઓ જાહેર કરી હતી. જણાવી દઈએ કે, અદાલત જામીન અંગેના નિયમો ઘડવાના મામલાને સુઓમોટો સંજ્ઞાન લઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણ દિવસ પર અપીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં ભાષણ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાની ભાવનાત્મક અપીલમાં કહ્યું હતું કે, દેશની જેલોમાં બંધ હજારો કેદીઓને જામીન પર મુક્ત કરવાનો કોર્ટનો આદેશ છે, પરંતુ તેમની પાસે જામીનની રકમ માટે પૈસા નથી, જેના કારણે તે જેલમાં બંધ છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, કોર્ટ અને સરકારે આ મામલે કંઈક કરવું જોઈએ. આ પછી સુપ્રીમ કોર્ટની બેન્ચે સુઓ મોટુ સંજ્ઞાન લેતાં રિપોર્ટ મંગાવ્યો હતો.

આ પણ વાંચો: વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્દેશ, હવે મેટા તૌબા-તૌબા કરશે!

અન્ડરટ્રાયલ કેદીઓ માટે 7 મહત્વપૂર્ણ માર્ગદર્શિકા
1) જે અદાલત અન્ડરટ્રાયલ કેદી/દોષિતને જામીન આપે છે, તેણે તે જ દિવસે અથવા બીજા દિવસે જેલ અધિક્ષક દ્વારા કેદીને ઈ-મેલ દ્વારા જામીનના આદેશની સોફ્ટ કોપી મોકલવી આવશ્યક છે. જેલ અધિક્ષકે ઇ-જેલ સોફ્ટવેર અથવા જેલ વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતા અન્ય કોઇ સોફ્ટવેરમાં જામીન મંજૂર કરવાની તારીખ દાખલ કરવાની રહેશે.

2) જો આરોપીને જામીન મળ્યાની તારીખથી 7 દિવસની અંદર મુક્ત કરવામાં ન આવે તો, જેલ અધિક્ષકની ફરજ છે કે તે DLSA (જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ) ના સચિવને જાણ કરે, જે કેદી સાથે અને તેની મુક્તિ માટે દરેક સંભવિત રીતે કેદીને મદદ કરવા અને વાતચીત કરવા માટે પેરા લીગલ વોલેન્ટિયર અથવા જેલ વિઝિટિંગ એડવોકેટને નિયુક્ત કરી શકે છે.

3) NIC ઇ-જેલ સોફ્ટવેરમાં જરૂરી ક્ષેત્રો બનાવવાનો પ્રયાસ કરશે, જેથી કરીને જામીનની તારીખ અને મુક્તિની તારીખ જેલ વિભાગ દ્વારા દાખલ કરી શકાય. જો કેદીને 7 દિવસની અંદર છોડવામાં નહીં આવે, તો સચિવ, DLSAને સ્વચાલિત ઇમેઇલ મોકલી શકાય છે.

4) સચિવ, DLSAએ આરોપીની આર્થિક સ્થિતિ જાણવા માટે પ્રોબેશન ઓફિસર્સ અથવા પેરા લીગલ વોલેન્ટીયર્સની મદદ લઈ શકે છે જેથી કેદીની સામાજિક-આર્થિક સ્થિતિ અંગેનો અહેવાલ તૈયાર કરી શકાય, જે જામીનની શરતો હળવી કરવાની વિનંતી સાથે સંબંધિત કોર્ટ સમક્ષ મૂકી શકાય છે.

5) એવા કેસોમાં જ્યાં અંડરટ્રાયલ અથવા દોષિત વિનંતી કરે છે કે તે એકવાર મુક્ત થયા પછી જામીન બોન્ડ અથવા જામીન રજૂ કરી શકે, તો પછી યોગ્ય કેસમાં, અદાલત આરોપીને ચોક્કસ સમયગાળા માટે કામચલાઉ જામીન આપવાનું વિચારી શકે છે, જેથી તે જામીન બોન્ડ અથવા જામીન રજૂ કરી શકે.

6) જો જામીન મંજૂર થયાની તારીખથી એક મહિનાની અંદર જામીન બોન્ડ સબમિટ કરવામાં ન આવે, તો સંબંધિત અદાલત આ બાબતની સંજ્ઞાન લઈ શકે છે અને જામીનની શરતોમાં ફેરફાર/છૂટછાટની જરૂર છે કે કેમ, તે અંગે વિચારણા કરી શકે છે.

7) આરોપી/દોષિતની મુક્તિમાં વિલંબનું એક કારણ સ્થાનિક જામીનનો આગ્રહ છે. એવું સૂચન કરવામાં આવે છે કે, આવા કિસ્સાઓમાં અદાલતો સ્થાનિક જામીનની શરત લાદી શકે નહીં.

આ પણ વાંચો: ગુજરાત રમખાણો પર BBC ડોક્યુમેન્ટરી અંગે સરકાર સામે સુપ્રીમમાં પડકાર, જાણો શું કહે છે PIL

જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકની ખંડપીઠે આદેશમાં એમ પણ કહ્યું હતું કે, ભારત સરકારે NALSA (નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી) સાથે ચર્ચા કરવી જોઈએ કે શું NALSA અને DLSAના સચિવોને ઈ-જેલ પોર્ટલની ઍક્સેસ આપવી કે નહીં.
First published:

Tags: Crime news, Jail, Supreme Court