રાફેલ ડીલ મામલામાં કેન્દ્રની મોદી સરકારને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં સરકારની દલીલો ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ કે કૌલ એન એમ એમ જોસેફની ત્રણ જજોની બેન્ચે કહ્યું કે હવે તેઓ રાફેલ સોદામાં પિટિશનકર્તાઓ દ્વારા આપવામાં આવેલા નવા દસ્તાવેજોને ધ્યાનમાં લઈ પિટિશનની સુનાવણી કરશે.
કેન્દ્રએ દલીલ કરી હતી કે પ્રશાંત ભૂષણ, અરૂણ શૌરી અને યશવંત સિન્હાની સમીક્ષા પિટિશનથી જોડાયેલા દસ્તાવેજમાં રાફેલની રક્ષા ફાઇલોથી અનધિકૃત રીતે ફોટોકોપી કરવામાં આવી હતી અને તેનાથી ફ્રાન્સની સાથે રાષ્ટ્રીય સુરક્ષા અને મૈત્રીપૂર્ણ સંબંધો પર તેનો પ્રભાવ પડશે.
Supreme Court allows admissibility of three documents in Rafale deal as evidence in re-examining the review petitions filed against the SC's December 14 judgement refusing to order probe in procuring 36 Rafale fighter jets from France. https://t.co/zqqdrTx8YS
ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે તેઓ સમીક્ષા પિટિશનો પર વિસ્તૃત સનાવણી શરૂ કરવા માટે તારીખ નક્કી કરશે, જેમાં રાફેલ ફાઇટર પ્લેનોની કિંમતની સાથે દસો એવિએશન દ્વારા અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરવા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
પિટિશનકર્તાએ અરૂણ શૌરીએ જણાવ્યું કે, અમે કોર્ટમાં દલીલ કરી કે દસ્તાવેજો સુરક્ષાને લગતાં છે તેથી તેની તપાસ થવી જોઈએ. તમે પુરાવા માંગ્યા હતા અને અમે તે પૂરા પાડ્યા છે. તેથી કોર્ટે અમારી અરજીને સ્વીકારી હતી અને સરકારની દલીલોને ફગાવી દીધી હતી.
Arun Shourie, who filed review plea in Rafale deal verdict: Our argument was that because the documents relate to Defence you must examine them. You asked for these evidence & we have provided it. So Court, has accepted our pleas & rejected the arguments of the Govt. pic.twitter.com/5S2xI0lkiV
આ પહેલા સુપ્રીમ કોર્ટે સુરક્ષા કારણોનો હવાલો આપતાં તપાસની માંગ ઠુકરાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ પિટિશનકર્તાઓએ કેટલાક નવા દસ્તાવેજ કોર્ટને સોંપ્યા છે અને કહ્યું છે કે તેના આધારે કોર્ટ રાફેલ ડીલની તપાસ કરાવે.
તેમનો આરોપ છે કે ફ્રાન્સની એક ખાનગી કંપની પાસેથી રાફેલ એરક્રાફ્ટ ખરીદવાના સોદામાં ભ્રષ્ટાચાર થયો છે અને નિયમોનું ઉલ્લંઘન થયું છે. પરંતુ સરકારનું કહેવું છે કે જે ખાનગી દસ્તાવેજોનો હવાલો આપવામાં આવી રહ્યો છે તે રક્ષા મંત્રાલયમાંથી ચોરી થયા હતા. ચોરી કરાયેલા દસ્તાવેજોને આધાર ન બનાવી શકાય. હવે કોર્ટ નક્કી કરશે કે શું તપાસની માંગ પર ફરી સુનાવણી થશે કે નહીં.
તપાસની માંગ પૂર્વ બીજેપી નેતા યશવંત સિન્હા અને અરૂણ શૌરીએ કરી છે. વકીલ પ્રશાંત ભૂષણ પણ તેમાં પિટિશનકર્તા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર