Home /News /national-international /Bird Suicide Point: ભારતનું એક રહસ્યમય ગામ, જ્યાં દર વર્ષે હજારો પક્ષીઓ આત્મહત્યા કરવા આવે છે

Bird Suicide Point: ભારતનું એક રહસ્યમય ગામ, જ્યાં દર વર્ષે હજારો પક્ષીઓ આત્મહત્યા કરવા આવે છે

કથિત રીતે પક્ષીઓની આત્મહત્યાની પ્રક્રિયા 1910 થી ચાલી રહી છે.

આ આત્મહત્યાની દોડમાં સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓની 40 જેટલી પ્રજાતિઓ સામેલ છે. કુદરતી કારણોસર જતિંગા ગામ નવ મહિના સુધી બહારની દુનિયાથી અળગું રહે છે.

આસામ: તમને જાણીને નવાઈ લાગશે કે આસામમાં એક એવી જગ્યા છે જ્યાં હજારો પક્ષીઓ આત્મહત્યા કરે છે. ખરેખરમાં આસામના દિમા હાસો જિલ્લાની પહાડીમાં આવેલી જતિંગા ખીણ પક્ષીઓના આત્મઘાતી સ્થળ તરીકે ખૂબ પ્રખ્યાત છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જતિંગા ગામ પક્ષીઓની આત્મહત્યાના કારણે ચર્ચામાં આવે છે. સ્થાનિક પક્ષીઓ જ નહીં પણ પ્રવાસી પક્ષીઓ પણ આ સ્થળે પહોંચીને આત્મહત્યા કરે છે. આ કારણે જતિંગા ગામ ખૂબ જ રહસ્યમય માનવામાં આવે છે.

આત્મહત્યા કરવાની પ્રવૃત્તિ માણસોમાં સામાન્ય છે, પરંતુ પક્ષીઓના કિસ્સામાં તે સંપૂર્ણપણે અલગ છે. જતિંગા ગામમાં ઝડપથી ઉડતા પક્ષીઓ મકાન અથવા ઝાડ સાથે અથડાતા તેઓ મૃત્યુ પામે છે. આવું અમુક સાથે નહીં, હજારો પક્ષીઓ સાથે થાય છે. સૌથી વિચિત્ર વાત એ છે કે આ પક્ષીઓ સાંજે 7 થી 10 વાગ્યાની વચ્ચે જ આ કરે છે, જ્યારે સામાન્ય હવામાનમાં આ પક્ષીઓ દિવસ દરમિયાન બહાર નીકળી જાય છે અને રાત્રે માળામાં પાછા ફરે છે.

કથિત રીતે પક્ષીઓની આત્મહત્યાની પ્રક્રિયા 1910 થી ચાલી રહી છે


આ આત્મહત્યાની દોડમાં સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓની 40 જેટલી પ્રજાતિઓ સામેલ છે. કુદરતી કારણોસર જતિંગા ગામ નવ મહિના સુધી બહારની દુનિયાથી અળગું રહે છે. એટલું જ નહીં રાતના સમયે જતિંગા ઘાટીમાં પ્રવેશવાની મનાઈ છે. પક્ષી નિષ્ણાતો માને છે કે આ રહસ્યમય ઘટનાનું કારણ ચુંબકીય બળ છે.

ભીના અને ધુમ્મસવાળા હવામાનમાં પવન ઝડપથી ફૂંકાય છે તેથી રાત્રિના અંધારામાં પક્ષીઓ પ્રકાશની આસપાસ ઉડે છે. ઓછા પ્રકાશને કારણે તેઓ સ્પષ્ટ જોઈ શકતા નથી, જેના કારણે તેઓ કોઈ ઈમારત કે ઝાડ કે વાહનો સાથે અથડાય છે. આવી સ્થિતિમાં જતિંગા ગામમાં સાંજના સમયે લાઇટ ન રહે તે માટે વાહનો ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે તેમ છતાં પક્ષીઓના મોતનો સિલસિલો ચાલુ રહ્યો હતો.

આ પણ વાંચો: નરાધમ પ્રેમીએ સગીરાને ગર્ભવતી બનાવ્યા બાદ મિત્રને પતિ બનાવી દીધો અને પછી...

જતિંગા ગામના લોકો તેની પાછળ રહસ્યમય શક્તિનો હાથ માને છે. ગામના લોકો કહે છે કે પવનમાં કોઈ અલૌકિક શક્તિ આવે છે, જેના કારણે પક્ષીઓ આવું કરે છે. તેઓ એમ પણ માને છે કે આ સમય દરમિયાન માનવ વસ્તીમાંથી બહાર આવવું પણ ખતરનાક બની શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન જતિંગાની શેરીઓ સાંજના સમયે સાવ નિર્જન બની જાય છે.

કથિત રીતે પક્ષીઓની આત્મહત્યાની પ્રક્રિયા 1910 થી ચાલી રહી છે, પરંતુ બહારની દુનિયાને આ વિશે 1957 માં જ ખબર પડી હતી. વર્ષ 1957માં પક્ષીવિદ્ ઈ.પી. જી કોઈ કામ અર્થે જટીંગા આવ્યા હતા. આ દરમિયાન તેણે પોતે આ ઘટના જોઈ અને તેના પુસ્તક 'ધ વાઈલ્ડલાઈફ ઓફ ઈન્ડિયા'માં તેનો ઉલ્લેખ કર્યો. ભારત અને વિદેશના ઘણા વૈજ્ઞાનિકોએ આ ઘટના પર સંશોધન કર્યું છે, પરંતુ હજુ સુધી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
First published:

Tags: Ajab gajab news, Ajab Gajab Samachar, Mysterious