Home /News /national-international /હિંદ મહાસાગરમાં દેખાયા બે ચીની યુદ્ધજહાજ, India Navyના ટોહી વિમાને લીધી તસવીરો

હિંદ મહાસાગરમાં દેખાયા બે ચીની યુદ્ધજહાજ, India Navyના ટોહી વિમાને લીધી તસવીરો

ચીનના બંને યુદ્ધજહાજ ભારતીય જળસીમાની ખૂબ જ નજીક પહોંચી ગયા હતા

ચીનના બંને યુદ્ધજહાજ ભારતીય જળસીમાની ખૂબ જ નજીક પહોંચી ગયા હતા

નવી દિલ્હી : ચીન (China) હિંદ મહાસાગર (Indian Ocean)માં પોતાનો દબદબો વધારાવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં તેની ગતિવિધિઓ પણ વધતી જઈ રહી છે. હાલમાં તેના અનેક યુદ્ધજહાજ (Warship) હિંદ મહાસાગરમાં જોવા મળ્યા છે. હવે ભારતીય નૌસેના (Indian Navy)એ આ ક્ષેત્રમાં ફરી રહેલા ચીનના બે યુદ્ધજહાજો વિશે ભાળ મેળવી છે. બંને યુદ્ધજહાજ ભારતીય જળસીમાની ખૂબ જ નજીક પહોંચી ગયા હતા. નૌસેનાના ટોહી વિમાન (Spy Plane) પી-8આઈ (P-8I)એ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના યુદ્ધજહાજ શિયાન-32 (Xian-32)ને ટ્રેક કર્યા. વિમાને ચીની યુદ્ધજહાજની ઉપરથી તસવીરો પણ લીધી છે, જેમાં તેમના ડૉક જોવા મળી રહ્યા છે.

ભારતીય જળસીમાની નજીકથી શ્રીલંકાના જળક્ષેત્રમાં જતું રહ્યું શિયાન-32

દક્ષિણ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના જંગી જહાજ નજરે પડતાં ભારતીય નૌસેના પણ એલર્ટ થઈ ગઈ છે. નૌસેનાના સૂત્રો મુજબ, ટોહી વિમાને આ તસવીરો 1થી 15 સપ્ટેમ્બરની વચ્ચે ખેંચી છે. ભારતીય જળસીમાની નજીક નજર આવેલા ચીનના યુદ્ધજહાજ થોડા સમય બાદ શ્રીલંકા (Sri Lanka)ના જળક્ષેત્રમાં દાખલ થઈ ગયા. ટોહી વિમાન પીઅ-8આઈ ચીનના યુદ્ધજહાજ પર સતત નજર (Surveillance) રાખી તેની ગતિવિધિઓની જાણકારી ભારતીય નૌસેનાને આપતું રહ્યું.

આ પણ વાંચો, NASAનું ઓર્બિટર 'વિક્રમ'ની લૅન્ડિંગ સાઇટ પાસે પહોંચ્યું, પહેલીવાર તસવીર સામે આવશે

હિંદ મહાસાગરમાં દેખાયેલું બીજી યુદ્ધજહાજ એડનની ખાડીમાં તહેનાત હતું

પી-8આઈએ ચીનના વધુ એક યુદ્ધજહાજને ટ્રેક કર્યુ, જે એડનની ખાડીમાં એન્ટી-પાઇરસી મિશનમાં સામેલ હતું. આ જંગી જહાજ સોમાલિયન સમુદ્રી લૂંટારું (Somalian pirates)થી ચીનના વેપારીઓની સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યું હતું. તેની તસવીર થોડી દૂરથી લેવામાં આવી છે. આ દરમિયાન હિંદ મહાસાગરથી પસાર થઈ રહ્યું હતું. હિંદ મહાસાગરમાં ચીનની વધતી સૈન્ય ગતિવિધિઓ પર લગામ કસવા માટે ભારત અમેરિકાની સાથે વધુ 10 પી-8આઈ વિમાનો ખરીદવાની યોજના પર કામ કરી રહ્યું છે. તેનાથી ભારતીય નૌસેનાનું સુમદ્રી ક્ષેત્રમાં સર્વેલન્સની ક્ષમતા વધશે.

હલકા ટોરપીડો છોડવા અને સબરમીનને ટ્રેક કરવામાં માહેર છે પી-8આઈ

ભારતીય નૌસેનાની પાસે પહેલાથી જ 12 બોઇંગ પી-8આઈ સમુદ્રી પેટ્રોલિંગ વિમાન છે. હવે નૌસેનાને વધતાં સમુદ્રી ખતરાનો સામનો કરવા માટે વધુ એવા વિમાનોની જરૂરિયાત લાગી રહી છે. આ 10 ટોહી વિમાનો નૌસેનામાં સામેલ થયા બાદ ભારતની પાસે કુલ 22 પી-8આઈ વિમાનો થઈ જશે. આ વિમાન સમુદ્રી પેટ્રોલિંગ સાથે જ હલ્કા ટોરપીડો છોડવા અને દુશ્મનની સબમરીનને ટ્રેક કરવામાં માહેર છે. આ ટોહી વિમાન અમેરિકા (US) અને ઓસ્ટ્રેલિયા (Australia)ની નૌસેના પાસે પહેલાથી જ છે.

આ પણ વાંચો, ઈમરાન ખાને સ્વીકાર્યુ : ભારત સાથેના યુદ્ધમાં પાકિસ્તાન હારી જશે
First published: