ખતરનાક આતંકવાદી સંગઠન ISIL-Kએ અફઘાનિસ્તાનમાં (Afghanistan) ભારતીય (Indian), ચીન અને ઈરાની દૂતાવાસો પર હુમલાની ધમકી આપી છે. સંયુક્ત રાષ્ટ્રના (United Nations) એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
નવી દિલ્હી: ખતરનાક આતંકવાદી સંગઠન ISIL-Kએ અફઘાનિસ્તાનમાં ભારત, ચીન અને ઈરાનના દૂતાવાસો પર આતંકી હુમલા કરવાની ધમકી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે, 'ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ એન્ડ ધ લેવન્ટ-ખોરાસન' (ISIL-K) પાસે મોટી સંખ્યામાં લડવૈયાઓ છે અને તેઓ સંકેતની રાહ જોઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ISIL-K ઈચ્છે છે કે ભારત, ચીન અને ઈરાન પોતાના દૂતાવાસ બંધ કરી દે, તે સંયુક્ત રાષ્ટ્રના દેશો વચ્ચેના સંબંધોને નબળા પાડવા માંગે છે.
યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ISIL-Kની ગતિવિધિઓ મધ્ય અને દક્ષિણ એશિયામાં એક મોટો આતંકવાદી ખતરો છે. આનાથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જોખમાય છે. સભ્ય દેશોની મદદ માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસો પર કેન્દ્રિત 16મા રિપોર્ટમાં તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે, ISIL-Kના ઈરાદા સારા નથી, તે અફઘાનિસ્તાનમાં અને બહાર આતંકી હુમલા કરી શકે છે.
તાલિબાન હરીફ ISIL-K સુરક્ષા અને શાંતિ માટે ખતરો
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ISIL-Kએ પોતાને તાલિબાનના "પ્રથમ હરીફ" તરીકે સ્થાન આપ્યું છે અને તે સાબિત કરવા માંગે છે કે તાલિબાન દેશમાં સુરક્ષા પ્રદાન કરવામાં નિષ્ફળ રહ્યા છે. સુરક્ષાને લઈને ચિંતિત કેટલાક દેશોએ હાલમાં જ અફઘાનિસ્તાન છોડી દીધું છે. આનાથી અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવી અશક્ય બની ગઈ છે. ISIL-K ઈચ્છે છે કે, તાલિબાન નબળા હોય અને અન્ય દેશો સાથે તેના સંબંધો મજબૂત ન હોવા જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર