Home /News /national-international /હાથ કાપ્યા બાદ લખબીર 45 મિનિટ સુધી તડપતો રહ્યો, પછી નિહંગ નારાયણ સિંહે ક્રૂરતાની હદ વટાવી દીધી

હાથ કાપ્યા બાદ લખબીર 45 મિનિટ સુધી તડપતો રહ્યો, પછી નિહંગ નારાયણ સિંહે ક્રૂરતાની હદ વટાવી દીધી

દિલ્હી-હરિયાણાના સિંઘુ બોર્ડર પર હત્યાનો મામલો

પરિણીત લખબીરની પત્ની જસપ્રીત તેની સાથે રહેતી નહોતી. બંનેને ત્રણ પુત્રીઓ છે, જેમાંથી મોટી પુત્રી લગભગ 12 વર્ષની છે.

નવી દિલ્હી / સોનીપત : દિલ્હી-હરિયાણાના સિંઘુ બોર્ડર (Singhu Border Murder) પર છેલ્લા 11 મહિનાથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના મંચ પાસે શુક્રવારે સવારે હાથ કાપાયેલો મૃતદેહ મળવાના કિસ્સામાં નવા ખુલાસા થઈ રહ્યા છે. તો, સોનીપત પોલીસે (Sonipat Police) આ કેસમાં અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવા સાથે બે લોકોને હિરાસતમાં લીધા છે. આ દરમિયાન પંજાબના અમૃતસર થી પકડાયેલા નિહાંગ નારાયણ સિંહે પોલીસની પૂછપરછમાં હત્યાની પૂરી વાર્તા કહી છે, જે રૂવાંટા ઉભા થઈ જાય તેવી છે.

નારાયણ સિંહના જણાવ્યા અનુસાર, તેઓ 15 ઓક્ટોબરે સવારે 5.35 વાગ્યે દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે જોયું કે લોકોના જૂથમાં ભારે દલીલ થઈ રહી હતી, તેથી તેણે કાર રોકી. આ દરમિયાન તેને ખબર પડી કે, સરબલોહ ગ્રંથની અપવિત્રતાનો કેસ છે. નિહાંગ શીખે તેને પૂછ્યું કે શું આરોપી હજી જીવતો છે.

લખબીર 45 મિનિટ સુધી તડપતો રહ્યો

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે નિહંગ નારાયણ સિંહને ખબર પડી કે, આરોપી લખબીર સિંહ જીવિત છે, ત્યારે તેણે તલવાર કાઢી અને ત્રણ વાર પગ પર ઘા માર્યા પગ કાપી નાખ્યા. આ પછી, અન્ય લોકોએ ખેડૂતોના આંદોલન નજીક પોલીસ બેરિકેડ પર લખબીરના મૃતદેહને લટકાવી દીધો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, હુમલા બાદ પીડિતા લગભગ 45 મિનિટ સુધી વેદના સાથે તડપતો રહ્યો હતો.

મને કોઈ અફસોસ નથી: નારાયણ સિંહ

આ સાથે, પોલીસની પૂછપરછમાં નારાયણસિંહે કહ્યું કે, મને કોઈ પસ્તાવો નથી, કારણ કે લખબીરસિંહે સરબલોહ ગ્રંથનું અપમાન કર્યું હતું હતું, અને 200-400 લોકોએ તેને આ પવિત્ર પુસ્તકની બે નકલો લઈને ભાગતો જોયો હતો. તો, આ ઘટનાના થોડા સમય પછી, ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા યુનાઈટેડ કિસાન મોરચાના નેતાઓએ જણાવ્યું હતું કે, આ નિહાંગો દ્વારા કરવામાં આવ્યું હતું અને લગભગ 15 કલાક બાદ સરબજીત સિંહ નામના નિહંગાની ધરપકડ કરવામાં આવી હતી. સરબજીતે કાંડામાંથી એક યુવકનો એક હાથ કાપી નાખ્યો હતો. એટલું જ નહીં, સરબજીતના શરણાગતિ પહેલા, નિહાંગોએ તેનું વસ્ત્રોથી સન્માન કર્યું અને કહ્યું કે તેણે પવિત્ર ગ્રંથનું કથિત રીતે અપમાન કરનાર વ્યક્તિને સજા આપી છે. નિહાંગ શીખ પરંપરા સાથે જોડાયેલા છે અને તેમના વાદળી ઝભ્ભા અને સાથે તલવારો રાખવા માટે જાણીતા છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાતનો થયો ખુલાસો

પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. તેનો એક હાથ કાંડામાંથી કાપી નાખવામાં આવ્યો છે અને ગરદનની ઈજા સાથે, શરીર પર અન્ય 10 થી વધુ ઈજાના નિશાન મળી આવ્યા છે. તો, તેનો એક પગ પણ કાપી નાખવામાં આવ્યો, પરંતુ તે શરીરથી અલગ થઈ શક્યો ન હતો. જ્યારે રિપોર્ટમાં મૃત્યુનું કારણ ઈજા અને વધુ પડતું લોહી વહેવાનું હતું. આ સિવાય યુવકને દોરડા વડે લટકાવી દેવામાં આવ્યો હતો. શરીરને ઘસડવાના નિશાન પણ મળી આવ્યા હતા.

સરબલોહ ગ્રંથ શું છે?

તો, આ હત્યા પાછળ સરબલોહ પુસ્તકના અપમાનની વાત કહેવામાં આવી રહી છે. જોકે સર્બલોહ ગ્રંથનો શાબ્દિક અર્થ 'સાર્વત્રિક ધર્મશાસ્ત્ર' છે, પરંતુ શ્રી ગુરુ ગ્રંથ સાહિબથી વિપરીત, સરબલોહ ગ્રંથ કેટલાક ભાગને છોડી મુખ્યધારાના શીખ સમુદાય દ્વારા માન્ય નથી. જોકે નિહાંગો તેને ઊંચા સન્માનમાં રાખે છે.

આ પણ વાંચોસુસવાટા બંધ ભક્તિ! અમદાવાદના આ ભક્ત નવરાત્રીના 9 દિવસ ખાય છે માત્ર લીલા મરચા, બીંજુ કશું જ નહીં!

મૃતક પંજાબના તરનતારણનો રહેવાસી હતો

સાથે જ સોનીપત પોલીસની તપાસમાં મૃતક યુવકની ઓળખ લખબીર સિંહ (35 વર્ષ) તરીકે થઈ છે, જે દલિત છે. તે પંજાબના તરન તારણ જિલ્લાના ચીમા ખુર્દનો રહેવાસી હતો. તે મજૂર તરીકે કામ કરતો હતો. એટલું જ નહીં જ્યારે લખબીર છ મહિનાનો હતો ત્યારે તેને હરનમ સિંહ નામની વ્યક્તિએ દત્તક લીધો હતો. લખબીરના સાચા પિતાનું નામ દર્શન સિંહ હતું. સાથે જ તેની બહેનનું નામ રાજ કૌર છે. જોકે, પરિણીત લખબીરની પત્ની જસપ્રીત તેની સાથે રહેતી નહોતી. બંનેને ત્રણ પુત્રીઓ છે, જેમાંથી મોટી પુત્રી લગભગ 12 વર્ષની છે.
First published:

Tags: Haryana Crime, Haryana News, Sonipat

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો