ખેડૂત આંદોલન અને કોરોના વાયરસને કારણે કાલે પોતાનો જન્મદિવસ નહીં ઉજવે સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ એલાન કર્યું છે કે કૃષિ કાયદાઓની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન અને કોવિડ-19 મહામારીની સ્થિતિના કારણે 9 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ નહીં ઉજવે
સોનિયા ગાંધીએ એલાન કર્યું છે કે કૃષિ કાયદાઓની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન અને કોવિડ-19 મહામારીની સ્થિતિના કારણે 9 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ નહીં ઉજવે
નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓની (Farm Laws) વિરોધમાં ખેડૂતો આંદોલન (Farmer Protest) કરી રહ્યા છે. તેમના આ આંદોલનનો આજે 13મો દિવસ છે અને આજે તેઓએ ભારત બંધ (Bharat Bandh)નું આહ્વાન આપ્યું છે. તેમના આ ભારત બંધના આહ્વાનને કૉંગ્રેસ સહિત 20થી વધુ પાર્ટીઓએ સમર્થન આપ્યું છે. આ દરમિયાન કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ પોતાના જન્મદિવસને લઈ જાહેરાત કરી છે. તેઓએ એલાન કર્યું છે કે તેઓ કૃષિ કાયદાઓની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન અને કોવિડ-19 મહામારીની સ્થિતિના કારણે 9 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ નહીં ઉજવે.
નોંધનીય છે કે, દેશના અનેક હિસ્સામાં અને ખાસ કરીને દિલ્હીથી સરહદો પર ખેડૂતો છેલ્લા 13 દિવસતી કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. તેમની માંગ છે કે સરકાર આ કૃષિ કાયદાઓને પરત લે. તેની સાથે જ આજે ખેડૂતોએ ભારત બંધનું પણ આહ્વાન આપ્યું છે. તેના માટે તેમને 20થી વધુ રાજકીય પાર્ટીઓનું સમર્થન પણ મળ્યું છે.
Congress interim president Sonia Gandhi (in file pic) will not celebrate her birthday on December 9, in view of the ongoing farmer's agitation against agriculture bills & #COVID19 situation across the country. pic.twitter.com/ivURWapgam
નોંધનીય છે કે, 9 ડિસેમ્બરે સોનિયા ગાંધીનો જન્મદિવસ છે. તેઓ બુધવારે 74 વર્ષનાં થઈ જશે. તેની સાથે જે 9 ડિસેમ્બરે ખેડૂતો અને કેન્દ્ર સરકારની વચ્ચે છઠ્ઠા ચરણની બેઠક પણ યોજાવાની છે.
આ પહેલા થયેલી પાંચ ચરણની વાતચીત કોઈ પરિણામ વગરની રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે 9 ડિસેમ્બરે ખેડૂતો અને સરકારની વચ્ચે કેટલાક સમાધાન પર સહમતિ સધાઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર