નવી દિલ્હી. દેશમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave)માં અસંખ્ય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. રોજેરોજ સામે આવી રહેલા સંક્રમણના લાખો કેસ અને મોતના આંકડા લોકોમાં ડર ઊભા કરી રહ્યા છે. કોઈ પણ સંક્રમિત દર્દી (Covid Patients)ની તબિયત બગડતાં તેના પરિજનોના મનમાં તેમને ગુમાવી દેવાનો ડર ઊભો થઈ જાય છે. આ બધાની વચ્ચે આવા પરિવારોની લાચારીને નજીકથી જોતાં કોરોના વોરિયર્સ (Corona Warriors) પણ પોતાના અનુભવોને સોશિયલ મીડિયાના માધ્યમથી શૅર કરી રહ્યા છે.
આવી જ એક કોરોના વોરિયર ડૉક્ટર દીપશિખા ઘોષ (Dipshikha Ghosh)એ જે જણાવ્યું તેને જાણીને કોઈ વ્યક્તિ ભાવુક થઈ જશે. દીપશિખાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, આજે મારી શિફ્ટ પૂરી થવાના ઠીક પહેલા મેં કોરોનાના કારણે પોતાના છેલ્લા શ્વાસ ગણી રહેલી એક મહિલાના દીકરાને વીડિયો કોલ કર્યો. અમે અમારી હૉસ્પિટલમાં અનેકવાર આવું કરીએ છીએ જેથી કોઈની અંતિમ ઈચ્છા પૂરી કરી શકાય. મહિલાના દીકરાએ મારી પાસે થોડોક સમય માંગ્યો અને વીડિયો કોલ ઉપર જ પોતાની મરતી માતા માટે તેણે એક ગીત ગાયું.
Today, towards the end of my shift, I video called the relatives of a patient who is not going to make it. We usually do that in my hospital if it’s something they want. This patient’s son asked for a few minutes of my time. He then sang a song for his dying mother.
બીજા ટ્વીટમાં દીપશિખાએ જણાવ્યું કે, મહિલાના દીકરાએ માતાને જોતા-જોતા ગાયું- તેરા મુજસે હૈ પહલે કા નાતા કોઈ...હું ફોન લઈને તે મહિલાને જોતી જ રહી ગઈ. નર્સો આવીને ચૂપચાપ આસપાસમાં ઊભી રહી ગઈ. દીકરો ગીત ગાતા-ગાતા ચોધાર આંસુએ રડી પડ્યો અને મારો આભાર માનીને તેણે ફોન મૂકી દીધો. ત્યારબાદ હું અને તમામ નર્સો ભીની આંખે ત્યાં ઊભા રહ્યા અને ડાયાલિસિસ યૂનિટનું એલાર્મ વાગતાં તમામ પોતપોતાના દર્દીઓની પાસે ગયા. આ ગીતનો મતલબ હવે અમારા માટે બિલકુલ બદલાઈ ગયો.
With permission, the people mentioned here are Mrs Sanghamitra Chatterjee and her son Mr Soham Chatterjee. My deepest condolences. You, your voice, your quiet dignity, are her legacy. @sohamchatt
નોંધનીય છે કે, કોરોના વાયરસના કહેરના કારણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,62,727 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 4,120 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,37,03,665 થઈ ગઈ છે. કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 97 લાખ 34 હજાર 823 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,52,181 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 37,10,525 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 2,58,317 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર