રાયપુર : સામાન્ય રીતે લોકો માટેમગરમચ્છ એક આકર્ષણનું કેન્દ્ર હોય છે, જેને લોકો દૂરથી જોવાનું જ પસંદ કરે છે. મગરની નજીક જવું એ જીવનું જોખમ બની શકે છે. જોકે, મગરનો સ્વભાવ પણ ખૂબ આક્રમક હોય છે, પરંતુ કદાચ આ ખતરનાક જીવ વિશે મંદિરના પૂજારી સીતારામ દાસનો વિચાર કંઈક અલગ જ છે. મગર દાસનો અવાજ સાંભળીને જ પાણીની બહાર બેસી જાય છે. આટલું જ નહીં, પૂજારી દરેક મગરને તેમના ચહેરાથી ઓોળખી લે છે.
છત્તીસગઢના કોટમી સોનારમાં સ્થિત એક તળાવ પાસે તમને દાસની હાજરી જોવા જરૂર મળશે. તેમને મગર ખૂબ જ ગમે છે. પુજારી કહે છે કે, તેઓ મગરને પોતાના બાળકો જેવા માને છે. આ વાત સાંભળીને આશ્ચર્ય થાય છે કે, મગરો મનુષ્યનો અવાજ અને હાવભાવ એટલી સરળતાથી સાંભળે છે અને સમજે છે. જો કે, લગભગ 15 વર્ષ પહેલાં, દાસ મગરના હુમલાનો ભોગ બન્યો હતો, જેમાં તેણે પોતાનો એક હાથ ગુમાવ્યો હતો.
આ ઘટના પછી પણ, તેઓ આ મગરથી ડરતા નથી અથવા નફરત નથી કરતા. હાથ ગુમાવ્યા પછી પણ પુજારીએ મગરો માટે કામ કરવાનું નક્કી કર્યું. દાસે અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું હતું કે, 'મગર મને નુકસાન પહોંચાડવા માંગતો ન હતો. તેણે મને પકડ્યો કારણ કે હું તેના માર્ગમાં આવ્યો હતો. ત્યારબાદ, તેણે મને જવા દીધો.
લગભગ 50 વર્ષ પહેલા દાસ ગોરખપુરથી આ ગામ આવ્યો હતો. તેમનું કામ ગાયની સંભાળ રાખવાનું હતું, પરંતુ તેના બદલે તેઓ મગરની તરફ આકર્ષાયા હતા. એટલું જ નહીં, તેમને આ જીવો વિશે ઊંડી જાણકારી પણ છે. તેઓ દરેક મગરને તેમના ચહેરાથી ઓળખે છે. કેટલાક મીડિયા અહેવાલો સૂચવે છે કે, દાસે પોતાનું આખું જીવન મગરોની સેવા માટે સમર્પિત કરવાનું નક્કી કર્યું છે. તેઓ ઇચ્છે છે કે, મૃત્યુ પછી તેમના શરીરને તળાવમાં ફેંકી દેવામાં આવે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર