શીખોના એક મોટા સમૂહે આજે દિલ્હીમાં બ્રિટિશ હાઇ કમિશન ખાતે ચાણક્યપૂરીમાં ખલિસ્તાન તરફી લોકોનો સખત વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં એક વિરોધ પ્રદર્શન દરમ્યાન અમુક ખાલિસ્તાન તરફીઓએ ભારતના રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું હતુ. તેમણે લંડનમાં આવેલ ભારતીય હાઈકમિશનમાં ખૂબ હોબાળો મચાવ્યો હતો. આ દરમ્યાન તિરંગાને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. જેને લઈને ભારત સરકારે દિલ્હીમાં બ્રિટિશ હાઈકમાન્ડને હાજર કરીને આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપતા વાંધો પણ ઉઠાવ્યો હતો.
જો કે આ ઘટના બન્યા બાદ આજે ભારતમાં પણ કેટલાક શીખોએ દેશ પ્રત્યેની તેમની રાષ્ટ્રભાવનાનો પુરાવો આપતા દિલ્હીના ચાણક્યપૂરીમાં બ્રિટિશ હાઇ કમિશન ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આ લોકો ભારતનો તિરંગો ઝંડો લઈને પહોંચ્યા હતા અને બ્રિટનમાં બનેલી ઘટનાને વખોડી કાઢી હતી.
Sikhs of India have given a loud and clear message to the world through their protest at British High Commission…
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, લંડનમાં ભારતીય હાઈકમિશન વિરુદ્ધ અલગાવવાદી અને ચરમપંથી તત્વો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર ભારતે વિરોધ વ્યક્ત કર્યો છે. તેના પર પ્રતિક્રિયા આપવા માટે દિલ્હીમાં બ્રિટિશ રાજદૂતને હાજર કર્યા છે. વિરોધ નોંધવાતા વિદેશ મંત્રાલયે પુછ્યું કે, ભારતીય હાઈકમિશન પરિસરમાં ખાલિસ્તાની તત્વોનો પ્રવેશ કરવાની મંજૂરી કોણે આપી.
બ્રિટિશ સરાકરની ઉદાસિનતા નહીં સ્વીકારાય
મંત્રાલયએ પુછ્યું કે, કેવી રીતે આટલી સંખ્યામાં પરિસરમાં લોકો અંદર ઘૂસી આવ્યા. તેનો અર્થ એવો થાય છે કે, ત્યાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા જ નથી. તેને નજરઅંદાજ કરવામાં આવ્યું. વિદેશ મંત્રાલયે આગળ કહ્યું કે, બ્રિટેનમાં ભારતીય રાજદૂત પરિસરમાં અને કર્મચારીઓની સુરક્ષા પ્રત્યે બ્રિટિશ સરાકરની ઉદાસિનતા ભારતને સ્વીકાર્ય નથી.
એલેક્સ એલિસે ઘટનાની ટીકા કરી
ભારતમાં બ્રિટનના હાઈ કમિશ્નર એલેક્સ એલિસે આ ઘટનાની આકરી ટીકા કરી છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, હું લંડન સ્થિત ભારતીય હાઈકમિશન પરિસર અને ત્યાંના લોકો વિરુદ્ધ આજે ઘૃણિત કૃત્યોની ટીકા કરુ છું. આ એકદમથી અસ્વીકાર્ય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર