Home /News /national-international /Shree Sammed Shikharji: જૈન તીર્થસ્થળ સમ્મેદ શિખરજી અંગે કેન્દ્ર સરકાર એક્શનમાં, ટૂંક સમયમાં લેશે મોટો નિર્ણય
Shree Sammed Shikharji: જૈન તીર્થસ્થળ સમ્મેદ શિખરજી અંગે કેન્દ્ર સરકાર એક્શનમાં, ટૂંક સમયમાં લેશે મોટો નિર્ણય
સમ્મેદ શિખરજી અંગે કેન્દ્ર સરકાર એક્શનમાં
Shree Sammed Shikharji Issue: શ્રી સમ્મેદ શિખરજીને પ્રવાસન સ્થળ તરીકે નોમિનેટ કરવાની ઝારખંડ સરકારની યોજના સામે જૈન સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલય હવે આ મામલે વિવિધ એજન્સીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે અને ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવે તેવી આશા છે.
નવી દિલ્હી: ઝારખંડમાં જૈન તીર્થસ્થાન શ્રી સમ્મેદ શિખરજીને (Shree Sammed Shikharji) પ્રવાસન સ્થળ તરીકે નિયુક્ત કરવાની યોજના સામે જૈન ધર્મના લોકોના ગુસ્સાને જોતા કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલય આ મામલે અલગ-અલગ એજન્સીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, ભારત સરકાર ટૂંક સમયમાં આ અંગે મહત્વની જાહેરાત કરશે.
કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ 22 ડિસેમ્બરે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને આ મુદ્દે પત્ર લખ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે, આ તીર્થસ્થળને બદલવાનો તેમનો કોઈ વિચાર નથી અને ઝારખંડના સીએમને પણ લોકોની ભાવનાઓનું ધ્યાન રાખવું જોઈએ.
શ્રી સમ્મેદ શિખરજી અને જૈન ધર્મ વચ્ચેનો સંબંધ
શ્રી સમ્મેદ શિખરજી ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથની ટેકરી પર સ્થિત છે. રાંચીથી લગભગ 160 કિમી દૂર આવેલી આ ટેકરી રાજ્યની સૌથી ઊંચી શિખર પણ છે. જૈન ધર્મ, દિગંબર અને શ્વેતાંબર બંને સંપ્રદાયો માટે આ સૌથી મોટું તીર્થધામ છે. એવું માનવામાં આવે છે કે, 24માંથી 20 જૈન તીર્થંકરોએ આ સ્થાન પર ધ્યાન કરીને 'મોક્ષ' પ્રાપ્ત કર્યો હતો.
ઝારખંડમાં શું થયું
ફેબ્રુઆરી 2019 માં, ઝારખંડ સરકારે દેવઘરમાં બૈદ્યનાથ ધામ અને દુમકામાં બાસુકીનાથ ધામ જેવા મંદિરો સાથે પારસનાથ વિસ્તારને 'પર્યટન સ્થળ' તરીકે સૂચિત કર્યો હતો. તે વર્ષે ઓગસ્ટમાં, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ટેકરીને ઈકો-સેન્સિટિવ ઝોન ઘોષિત કરીને કહ્યું કે, આ વિસ્તારમાં 'વિકાસશીલ ઈકો-ટૂરિઝમને ટેકો આપવાની અભૂતપૂર્વ સંભાવના' છે.
ત્યારબાદ, 24 જુલાઈ 2022ના રોજ મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યની પ્રવાસન નીતિનું અનાવરણ કર્યું હતું, જેમાં દેવઘરમાં બાબા બૈદ્યનાથ મંદિર અને રામગઢ જિલ્લામાં રાજરપ્પા મંદિર સહિત અન્ય ધાર્મિક સ્થળોની સાથે પારસનાથને ધાર્મિક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જૈન ધર્મના લોકો જૈન યાત્રાને લઈને ઝારખંડ સરકારના આ નિર્ણય સામે દેશભરમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જૈન સમાજના મતે તેમનું આ આંદોલન ધાર્મિક સ્થળની પવિત્રતા જાળવવા માટે છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર