યશવંત સિન્હાના રાજીનામા બાદ ગભરાયા શત્રુઘ્ન, નહીં છોડે BJPનો સાથ
યશવંત સિન્હાના રાજીનામા બાદ ગભરાયા શત્રુઘ્ન, નહીં છોડે BJPનો સાથ
સિન્હાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, એવી અફવા છે કે હું બીજેપી છોડી રહ્યો છું. કારણ કે મને ચૂંટણી લડવા માટે ટિકિટ મળવાની નથી. પરંતુ હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે, હું ક્યાં જવાનો નથી. હું બીજેપીમાં જ રહીશ.
સિન્હાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, એવી અફવા છે કે હું બીજેપી છોડી રહ્યો છું. કારણ કે મને ચૂંટણી લડવા માટે ટિકિટ મળવાની નથી. પરંતુ હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે, હું ક્યાં જવાનો નથી. હું બીજેપીમાં જ રહીશ.
બીજેપીના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ ભારતીય જનતા પાર્ટી અને રાજનીતિમાંથી સંન્યાસ લીધો છે. આવી સ્થિતિમાં પાર્ટીથી નારાજ શત્રુઘ્ન સિન્હાનું કહ્યું છે કે, કોઇપણ હિસાબે તેઓ બીજેપીનો સાથ નહીં છોડે. સિન્હાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, એવી અફવા છે કે હું બીજેપી છોડી રહ્યો છું. કારણ કે મને ચૂંટણી લડવા માટે ટિકિટ મળવાની નથી. પરંતુ હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે, હું ક્યાં જવાનો નથી. હું બીજેપીમાં જ રહીશ.
માર્ચમાં સિન્હાએ બીજી પાર્ટીમાંથી ચૂંટણી લડવાનો આપ્યો હતો સંકેત
માર્ચમાં શત્રુઘ્ન સિંન્હાએ સંકેત આપ્યા હતા કે, કોઇ બીજી પાર્ટીની ટિકિટ ઉપર લોકસભાની ચૂંટણી લડી શકે છે. કારણ કે તેમના જેવા નેતાઓ સાથે પાર્ટીમાં સારો વ્યવહાર થતો નથી. સિન્હાએ એ પણ કહ્યું હતું કે, પબ્લિકમાં પોતાના કોઇ નેતા વિરૂદ્ધ કંઇ નહીં બોલી શકે.
There were rumours that I would quit the party because I had not been given the ticket. But, I am clarifying it today that I am here to stay & I am not going to go anywhere: Shatrughan Sinha, BJP in Patna, #Biharpic.twitter.com/OlxF55vC8q
પત્રકારે પૂછ્યો પ્રશ્ન તમને ટિકિટ કેમ નહીં આપવામાં આવે
પત્રકારે તેમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે, તેમને કેમ ટિકિટ આપવામાં નહીં આવે. તેના જવાબમાં કહ્યું હતું કે, હું કહીં ચુક્યો છું કે હું મારી સીટ ઉપરથી રેકોર્ડ મતોથી જીત્યો છું. ગત ચૂંટણીમાં મે મારો જ રેકોર્ડ તોડ્યો હતો.
High time to come back from foreign land & face the Press (not Sarkari Darbaris) & the Nation in an honest & transparent manner. People are waiting for your Marg Darshan....not the Marg Darshak Mandal (Old age home for experienced statesmen). At last & at least you speak up Sir!
શુક્રવારે શત્રુઘ્ન સિન્હાએ ટ્વીટ ઉપર સાધ્યું હતું PM મોદી ઉપર નિશાન
શત્રુઘ્ન સિન્હાએ પોતાના ટ્વિટમાં કોંગ્રેસ નેતાઓની ખુબ જ પ્રસંશા કરી હતી. એટલું જ નહીં શુક્રવારે એક ટ્વીટ કરીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાધ્યું હતું. અને તેમની અનેક સળગતા મુદ્દાઓ ઉપર સફાઇની ઇચ્છા વ્યક્ત કરી હતી.
જે કાર્યક્રમમાં યશવંત સિન્હાએ એલાન કર્યું ત્યાં ઉપસ્થિત હતા અન્ય પક્ષોના નેતા
શનિવારે જે કાર્યક્રમમાં યશવંત સિન્હાએ ભાજપને છોડવાનું એલાન કર્યું હતું એ કાર્યક્રમમાં અન્ય દળોના નેતાઓ પણ હાજર હતા. બીજેપી નેતા શત્રુઘ્ન સિન્હા, કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી, તૃણમુલ કોંગ્રેસના સાંસદ દિનેશ ત્રિવેદી, આરજેડીના તેજસ્વી પ્રસાદ યાદવ, આરએલડી નેતા જયંત ચૌધરી, આમ આદમી પાર્ટીના સંજય સિંહ અને અસંતુષ્ટ જેડીયુ નેતા ઉદય નારાયણ ચૌધરી આ કાર્યક્રમમાં હાજર હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર