Same Sex Marriage: સુપ્રીમ કોર્ટે 18મી એપ્રિલે આ મામલે સુનાવણી કરવાની જાહેરાત કરી છે. સમલૈંગિક વિવાહના કાયદાને માન્યતા આપવાની અરજીઓ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સામે વિરોધ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, તે (સમલૈંગિક લગ્નને માન્યતા આપવી) પર્સનલ લો અને સ્વીકૃત સામાજિક મૂલ્યો વચ્ચે નાજુક સંતુલનના ‘પૂર્ણ વિનાશ’નું કારણ બનશે.
નવી દિલ્હીઃ સમલૈંગિક લગ્નનો વિરોધ કરતા અલગ-અલગ હાઇકોર્ટના પૂર્વ જજોએ કહ્યુ કે, પશ્ચિમી સભ્યતાની અસરથી કેટલાક સમૂહ હજારો વર્ષ જૂની સામાજિક વ્યવસ્થાને નષ્ટ કરવા માગે છે. તે લોકોનું માનવું છે કે, સમલૈંગિક લગ્નને માન્યતા આપવાથી ભારતીય સમાજ પર વિપરીત અસર થશે. 21 પૂર્વ જજોએ સમલૈંગિક લગ્ન વ્યવસ્થાને આઝાદ ભારતની સંસ્કૃતિ પર પાશ્ચાત્ય સભ્યતાને થોપવાના પ્રયત્ન ગણાવ્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, ‘પશ્ચિમી દેશોમાં કેન્સરની તરીકે ફેલાયેલા સમલૈંગિક લગ્નને ‘પસંદગીના અધિકારની સ્વતંત્રતા’ના નામે ભારતના કોર્ટનો દુરુપયોગ કરીને અહીંથી આયાત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમેરિકા જેવા દેશમાં 2019-20માં એચઆઈવી એઇડ્સના જે કેસ સામે આવ્યા, તેમાં 70 ટકા સમલૈંગિક પુરુષોમાં હતા. વ્યક્તિગત સ્વતંત્રતાના નામ પર સમલૈંગિક લગ્નના કાયદાને માન્યતા આપવાથી એચઆઈવી એઇડ્સના રોગીઓમાં પણ વધારો થશે.’
પૂર્વ જજોએ આગળ કહ્યુ કે, ‘અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, સમલૈંગિક જોડીઓ દ્વારા દત્તક લેવાયેલા બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. સમલૈંગિક લગ્નને માન્યતા આપ્યા પછી હાલના દત્તક લેવાના અને ઉત્તરાધિકારી સાથે જોડાયેલા પર્સનલ કાયદાની પરિભાષા જ બદલાઈ જશે.’
24 માર્ચના પત્ર પર હસ્તાક્ષર કરનારા 21 ભૂતપૂર્વ ન્યાયાધીશોના નામ છે:
સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નોને કાનૂની માન્યતા આપવાની વિનંતી કરતી અરજીઓ પાંચ જજોની બંધારણીય બેન્ચને મોકલી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે કહ્યું હતું કે, આ મુદ્દો એક તરફ બંધારણીય અધિકારો અને બીજી તરફ સ્પેશિયલ મેરેજ એક્ટ સહિત વિશેષ કાયદાકીય કાયદાઓ સાથે સંબંધિત છે, જે એકબીજા પર અસર કરે છે.
કેન્દ્ર સમલૈંગિક લગ્નનો વિરોધ કરે છે
સુપ્રીમ કોર્ટે આ મામલે 18 એપ્રિલે સુનાવણી કરવાની જાહેરાત કરી છે. સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવાની વિનંતી કરતી સુપ્રીમ કોર્ટની અરજીઓનો કેન્દ્રએ વિરોધ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, તેઓ (સમલૈંગિક લગ્નની માન્યતા) વ્યક્તિગત કાયદા અને સ્વીકૃત સામાજિક મૂલ્યો વચ્ચેના નાજુક સંતુલનને 'સંપૂર્ણ વિનાશ' તરફ દોરી જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર