Home /News /national-international /Russia-Ukraine War: શૂન્ય ડિગ્રીમાં 35 કલાક લાઈનમાં રહ્યાં, ડરામણી છે ભારતીય વિદ્યાર્થીઓની યુક્રેનથી વાપસીની કહાની
Russia-Ukraine War: શૂન્ય ડિગ્રીમાં 35 કલાક લાઈનમાં રહ્યાં, ડરામણી છે ભારતીય વિદ્યાર્થીઓની યુક્રેનથી વાપસીની કહાની
વિદ્યાર્થીએ જણાવ્યું કે, મેડિકલ સ્ટુડન્ટ્સ હાડ થીજવતી ઠંડીનો સામનો કરીને પગપાળા ચાલીને પોલેન્ડ બોર્ડર પર પહોંચ્યા
russia ukraine conflict - એક ભારતીય વિદ્યાર્થીનીએ પોતાની આપવીતીનું વર્ણન કર્યું હતું કે યુક્રેનના સૈનિકોએ પોલેન્ડમાં પ્રવેશતા પહેલા વિચિત્ર વર્તન કરીને તેના જેવા અનેક મેડિકલ વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાન કર્યા હતા
યુક્રેન (Ukraine)માંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયામાં એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express)નું વિમાન રોમાનિયાના બુકારેસ્ટથી મુંબઈ પહોંચ્યું હતું. આ પ્લેન દ્વારા મુંબઈ પહોંચેલા વિદ્યાર્થીઓ માટે ઘરે પરત ફરવાનો માર્ગ એટલો સરળ ન હતો. છેલ્લા 4-5 દિવસમાં તેમણે જીવિત રહેવા અને ભારત પરત ફરવાના સંઘર્ષમાં (Russia-Ukraine War)દરેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. હાલમાં બાકીના નાગરિકોને બહાર કાઢવા માટે 'ઓપરેશન ગંગા' (Operation Ganga)ચાલી રહ્યું છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)નાગરિકોની સુરક્ષાને લઈને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે વાત પણ કરી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓએ યુક્રેનની બોર્ડર પાસે ઝીરોથી ઓછા તાપમાનમાં 35 કલાકથી વધુ સમય વિતાવ્યો હતો. આ સમય દરમિયાન તેમની પાસે ખાવા-પીવા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ન હતી. જોકે આ મુશ્કેલ સમય ત્યાં જ સમાપ્ત થયો ન હતો. લાચાર અને કંટાળી ગયેલા વિદ્યાર્થીઓને યુક્રેનના સૈનિકો તરફથી મારપીટનો પણ સામનો કરવો પડ્યો હતો. આ તમામની વચ્ચે મંગળવારે સવારે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ 182 ભારતીય વિદ્યાર્થીઓને લઈને મુંબઈ એરપોર્ટ પહોંચી હતી.
બિહારના મુઝફ્ફરપુરના રહેવાસી દીનાનાથ રે કહે છે, લગભગ 2 હજાર ભારતીય વિદ્યાર્થીઓ હજુ પણ બુકારેસ્ટના હેનરી કોઆન્ડા એરપોર્ટ પર ફસાયેલા છે અને ભારત તરફ આવતી ફ્લાઈટમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. અન્ય 3,000 રોમાનિયા સાથે વહેંચાયેલ સરહદની યુક્રેન બાજુ પર છે. હું ત્યારથી બહાર આવ્યો ત્યારથી આ આંકડો વધ્યો જ હશે.
દરભંગાના સૌરભ કુમારે કહ્યું કે, 24 ફેબ્રુઆરીથી લગભગ 150 ભારતીય વિદ્યાર્થીઓ અમારી હોસ્ટેલના બેસમેન્ટ બંકરમાં રોકાયા હતા. અમે સામાન લેવા માટે બહાર જઈ શકતા ન હતા અને દર 15-20 મિનિટે એર રેડ સાયરન વાગતા હતા. રે એ માહિતી આપતા જણાવ્યું કે, રોમાનિયાની યાત્રા વધુ ભયાનક હતી. રોમાનિયા પાર કર્યા પછી જ તેમને માનવીય પ્રયાસોનો લાભ મળ્યો. રોમાનિયા અને નાટો બોર્ડરથી 200 મીટર દૂર શેલ્ટર તૈયાર કરવામાં આવ્યા અને તેમને ખાવા પીવાની વસ્તુઓથી ભરવામાં આવ્યા. અમને એરપોર્ટ સુધી પહોંચવા માટે ગાડી આ સાથે જ બ્લેન્કેટ, જેકેટ્સ અને ફ્રી સીમ કાર્ડ આપવામાં આવ્યા હતા.
કુમારે જણાવ્યું કે બુખારેસ્ટથી મુંબઈ જતા માર્ગમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ કુવૈતમાં ઈંધણ માટે રોકાઈ હતી. વિદ્યાર્થીએ કહ્યું કે તેમણે અમને સેન્ડવીચ, કેક, જ્યુસ વગેરે આપ્યા હતા. કુવૈતથી નીકળી ગયા પછી તેમણે અમને બિરયાની અને રાયતું આપ્યું. ઘણા દિવસો પછી અમને ભારતીય ભોજન મળ્યું હતું.
યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પોતાનો જીવ બચાવીને ઘરે પહોંચેલી એક ભારતીય વિદ્યાર્થીનીએ પોતાની આપવીતીનું વર્ણન કર્યું હતું કે યુક્રેનના સૈનિકોએ પોલેન્ડમાં પ્રવેશતા પહેલા વિચિત્ર વર્તન કરીને તેના જેવા અનેક મેડિકલ વિદ્યાર્થીઓને માનસિક રીતે હેરાન કર્યા હતા. વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, પોતાનો જીવ બચાવવા અને ભારત પરત ફરવાનો પ્રયાસ કરી રહેલા વિદ્યાર્થીઓને તે કઠપુતળીની જેમ વાપરતા હતા. આ સૈનિકો ક્યારેક હસવા અને ક્યારેક તાળીઓ પાડવા માટે કહેતા હતા.
આ વિદ્યાર્થી યુક્રેનની ટેર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો છે. તેમણે ઈન્દોરના દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર પત્રકારોને જણાવ્યું હતું કે, અમે 50-60 મેડિકલ વિદ્યાર્થીઓએ 26 ફેબ્રુઆરીએ ટેર્નોપિલ શહેરથી પોલેન્ડના બહારના વિસ્તારમાં પહોંચવા માટે ભાડે બસની વ્યવસ્થા કરી હતી. પરંતુ રસ્તામાં ભારે ટ્રાફિક જામ અને અફરા તફરીના કારણે અમને આ બોર્ડરથી 45 કિલોમીટર દૂર ઉતારી દેવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીએ જણાવ્યું કે, મેડિકલ સ્ટુડન્ટ્સ હાડ થીજવતી ઠંડીનો સામનો કરીને પગપાળા ચાલીને પોલેન્ડ બોર્ડર પર પહોંચ્યા, પરંતુ ત્યાં તૈનાત યુક્રેનિયન સૈનિકોએ તેમને તરત જ બોર્ડર ચોકી પાર કરવાની મંજૂરી આપી ન હતી. વિદ્યાર્થીએ યાદ કરતા કહ્યું કે, યુક્રેનિયન સૈનિકો અમને કઠપુતળીની જેમ ટ્રીટ કરતા અને ક્યારેક ઊભા રહેવા માટે કહેતા હતા, ક્યારેક બેસવા માટે કહેતા. તેમણે અમને તાળીઓ પાડવા અને હસવાનું પણ કહ્યું.
તેમણે પછીથી જણાવ્યું કે પછીથી ગર્લ સ્ટુડન્ટ્સને પ્રાધાન્ય આપતા મેડિકલ સ્ટુડન્ટ્સને પોલેન્ડની સરહદમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ તેઓ ભારત સરકારના 'ઓપરેશન ગંગા' હેઠળ ઘરે પરત ફર્યા હતા. યુક્રેનથી પોલેન્ડ થઈને ભારત પરત આવેલા અન્ય એક મેડિકલ સ્ટુડન્ટે જણાવ્યું હતું કે, યુદ્ધની શક્યતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે અમને ઘરે પાછા ફરવા માટે એડવાઈઝરી જારી કરી હતી. પરંતુ ત્યારે યુક્રેનની અમારી યુનિવર્સિટીમાં મહત્વનો અભ્યાસ ચાલી રહ્યો હતો અને અમે યુનિવર્સિટીની પરવાનગી વિના ભારત આવી શકતા ન હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે યુક્રેનમાં અભ્યાસ કરતા છ મેડિકલ વિદ્યાર્થીઓ જેમાં બે વિદ્યાર્થિનીઓ પણ સામેલ છે, ઘરે પરત ફર્યા બાદ ઈન્દોર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે આ વિદ્યાર્થીઓ ઈન્દોર, ઉજ્જૈન અને ઝાબુઆ જિલ્લાના રહેવાસી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ ઈન્દોર એરપોર્ટની બહાર નીકળ્યા બાદ ભાવુક થઈ ગયા હતા. 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારાઓ વચ્ચે ઈન્દોરના સાંસદ શંકર લાલવાણી અને ઉજ્જૈનના સાંસદ અનિલ ફિરોજિયાએ ગુલદસ્તો આપીને આ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર