Home /News /national-international /Rising India: ઉપરાષ્ટ્રપતિએ લોંચ કર્યું ‘વોઇસ ઓફ ઇન્ડિયા’, PM મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમથી છે કનેક્શન
Rising India: ઉપરાષ્ટ્રપતિએ લોંચ કર્યું ‘વોઇસ ઓફ ઇન્ડિયા’, PM મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમથી છે કનેક્શન
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમ પર આધારિત કોફી ટેબલ બુક 'વોઈસ ઓફ ઈન્ડિયા'નું અનાવરણ કર્યું
Rising India Summit: ન્યૂઝ18ના રાઈઝિંગ ઈન્ડિયાના કાર્યક્રમની પ્રશંસા કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, આ કાર્યક્રમમાં વાસ્તવિક હીરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમણે કહ્યું, 'તે ખરેખરમાં એક માર્કી ઇવેન્ટ છે જે રિયલ હીરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
નવી દિલ્હી: ન્યુઝ18 નેટવર્કના પ્રખ્યાત બે દિવસીય માર્કી લીડરશીપ કોન્ક્લેવ 'રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2023' (Rising India Summit 2023)ના સમાપનાં દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે (Vice President Jagdeep Dhankhar) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની 'મન કી બાત' (Mann Ki Baat)ને કાર્યક્રમ પર આધારિત કોફી ટેબલ બુક 'વોઈસ ઓફ ઈન્ડિયા'નું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ દેશની તમામ ઉપલબ્ધિઓ વિશે ચર્ચા કરી હતી. આ કોફી ટેબલ બુક એ લોકો વિશે છે જેમનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ની અલગ-અલગ આવૃત્તિઓમાં કર્યો છે.
ન્યૂઝ18ના રાઈઝિંગ ઈન્ડિયાના કાર્યક્રમની પ્રશંસા કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, આ કાર્યક્રમમાં રિયલ હીરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમણે કહ્યું, 'તે ખરેખરમાં એક માર્કી ઇવેન્ટ છે જે રિયલ હીરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇવેન્ટ મેનેજમેન્ટ એક વ્યક્તિને એક સ્થાન પર લાવી શકે છે પરંતુ અમે રિયલ હીરોની વાત કરી રહ્યા છીએ... ભારતનો ઉદય અજેય છે.'' ધનખરે કહ્યું, કોફી ટેબલની થીમ અનાવરણ કરવામાં આવી તે ખૂબ જ યોગ્ય છે. હું રાહુલ (રાહુલ જોષી, નેટવર્ક 18ના એડિટર-ઇન-ચીફ)ને આ પસંદ કરવાની હિંમત કરવા બદલ બિરદાવું છું.
વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરે કહ્યું, 'PM નરેન્દ્ર મોદીની મન કી બાત સફળ રહી છે તેનું લોકો સાથે કુદરતી જોડાણ છે. આપણે વિશ્વમાં સૌથી કાર્યકારી લોકશાહી છીએ અને તેમાં કોઈ શંકા નથી. આપણા હીરોનું સન્માન કરવા માટે ચાલો આપણે આપણા ઈતિહાસ પર ગર્વ લેવા અને ભારતીય બનવાની પ્રતિજ્ઞા લઈએ. રાષ્ટ્રીય હિતથી મોટું કંઈ ન હોઈ શકે.
" isDesktop="true" id="1365601" >
ભારતની પ્રગતિને કોઈ રોકી શકશે નહીં
ધનખરે કહ્યું કે ભારત પ્રગતિના માર્ગ પર છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે, તેને કોઈ રોકી શકશે નહીં. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, આજે વિશ્વ ભારતના ઉદયનું સાક્ષી છે. વિશ્વમાં ભારતનું સન્માન વધ્યું છે. વિશ્વનો અન્ય કોઈ દેશ ભારતની લોકશાહી પર સવાલ ઉઠાવી શકે નહીં. વિશ્વના અન્ય કોઈ દેશે ભારત જેટલો લોકતાંત્રિક વિકાસ કર્યો નથી.
ધનખરે કહ્યું કે, કેટલાક લોકો ભારતની છબી ખરાબ કરવા માટે ભ્રષ્ટાચારમાં લાગેલા છે જેઓ આ કામમાં લાગેલા છે તેઓએ પોતાની તરફ જોવું જોઈએ. આ બનાવટી અને અશુભ ઝુંબેશને મીડિયાએ ઉજાગર કરવી જોઈએ.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, અમે ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા પહોંચશે. આ પ્રક્રિયામાં વચેટિયાઓને ખતમ કરી દેવામાં આવ્યા છે. અમારી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સપ્ટેમ્બર 2022માં વિશ્વ સાથે સ્પર્ધા કરે છે. અમે અમારા ભૂતપૂર્વ ઔપનિવેશિક શાસક યુનાઇટેડ કિંગડમને પાછળ રાખીને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર