Home /News /national-international /Rising India Summit 2023: અમેરિકામાં ભારતીય દૂતાવાસ પર હુમલા અંગે વિદેશ મંત્રી કડક, જાણો LAC તણાવ પર શું કહ્યું
Rising India Summit 2023: અમેરિકામાં ભારતીય દૂતાવાસ પર હુમલા અંગે વિદેશ મંત્રી કડક, જાણો LAC તણાવ પર શું કહ્યું
અમેરિકામાં ભારતીય દૂતાવાસ પર હુમલા અંગે વિદેશ મંત્રી
Rising India Summit 2023: જ્યારે વિદેશ પ્રધાન એસ જયશંકરને 'રાઇઝિંગ ઇન્ડિયા' ના મંચ પર પૂછવામાં આવ્યું કે, શું ભારત રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ નિર્માતાની ભૂમિકા ભજવશે, તો તેમણે જવાબ આપ્યો કે, 'ચોક્કસપણે જ્યારે પણ શક્ય હશે, અમે તે કરીશું, જો અમે મદદ કરી શકીશું તો, અમે ચોક્કસપણે તે કરીશું.
નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે વિદેશમાં ભારતીય દૂતાવાસો પર થયેલા હુમલા પર આકરી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, જો તમે વાણી સ્વાતંત્ર્યના નામે આવા હુમલાઓને મંજૂરી આપો છો, તો તમારે પણ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "અમે 'ભારતમાં અમેરિકન રાજદૂત'ને 100% પ્રેમથી સમજાવીશું."
25 માર્ચે વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસની નજીક અલગતાવાદી શીખો એકઠા થયા હતા અને અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને જાહેરમાં ધમકી આપી હતી. વિરોધ સ્થળ પર કેટલાક વિરોધીઓ અન્ય વિરોધીઓને હિંસામાં જોડાવા અને બિલ્ડિંગની બારીઓ અને કાચ તોડવા માટે ઉશ્કેરતા પણ જોવા મળ્યા હતા. તેવી જ રીતે, અન્ય એક ઘટનામાં ખાલિસ્તાન તરફી વિરોધીઓના એક જૂથે 19 માર્ચે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો.
ન્યૂઝ18 નેટવર્કના પ્રખ્યાત બે દિવસીય માર્કી લીડરશિપ કોન્ક્લેવ 'રાઇઝિંગ ઇન્ડિયા કોન્ફરન્સ 2023'માં બોલતા વિદેશ મંત્રીએ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, '2020માં ચીને તેની સેના ભારતીય ક્ષેત્રમાં ઘૂસી હતી અને અમે તેની સામે લડ્યા હતા. જ્યારે હું મારા સમકક્ષને મળ્યો, ત્યારે તે સંમત થયા કે તે એક ખતરનાક પરિસ્થિતિ છે.
તેમણે વધુમાં કહ્યું કે, "અમે (ભારત અને ચીન) જે કંઈ કર્યું તે પરસ્પર અને સમાન સુરક્ષા પર આધારિત હતું, આ કામ હજુ અધૂરું છે, અમે તેના પર કામ કરવાનું ચાલુ રાખીશું." કેન્દ્રીય મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, તેમણે G20 બેઠક દરમિયાન ચીનના નવા વિદેશ મંત્રી સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી.
'રાઈઝિંગ ઈન્ડિયા' ફોરમમાં વિદેશ મંત્રી એસ જયશંકરને પૂછવામાં આવ્યું કે, શું ભારત રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ નિર્માતાની ભૂમિકા ભજવશે, જેના જવાબમાં તેમણે કહ્યું કે, "ચોક્કસપણે અમે જ્યારે પણ શક્ય હશે ત્યારે કરીશું, જો અમે મદદ કરી શકીએ તો અમે, ચોક્કસપણે કરીશું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર