Home /News /national-international /ગણતંત્ર દિવસ પર બાબા રામદેવનું મોટું નિવેદન, કહ્યું- ‘પાકિસ્તાનના 4 ટુકડા થશે’

ગણતંત્ર દિવસ પર બાબા રામદેવનું મોટું નિવેદન, કહ્યું- ‘પાકિસ્તાનના 4 ટુકડા થશે’

બાબા રામદેવે પાકિસ્તાન વિશે મોટું નિવેદન આપ્યું

Republic Day 2023- બાબા રામદેવે પાકિસ્તાન વિશે મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ટૂંક સમયમાં ભારતમાં મર્જ થઈ જશે. એટલું જ નહીં, પાકિસ્તાનના ચાર ટુકડા થશે, જેમાંથી ત્રણ ભાગ ભારતમાં મર્જ થશે અને પાકિસ્તાન એક અલગ દેશની જેમ રહેશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Uttarakhand (Uttaranchal), India
હરિદ્વાર. 74માં પ્રજાસત્તાક દિવસના અવસર પર હરિદ્વારમાં પતંજલિ પીઠમાં ધ્વજારોહણ પ્રસંગે યોગ ગુરુ બાબા રામદેવે પાકિસ્તાન વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશ-વિદેશમાં ઘણું બધું થઈ રહ્યું છે, હવે જમાનો બદલાઈ ગયો છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ટૂંક સમયમાં ભારતમાં મર્જ થઈ જશે. એટલું જ નહીં, પાકિસ્તાનના ચાર ટુકડા થશે, જેમાંથી ત્રણ ભાગ ભારતમાં મર્જ થશે અને પાકિસ્તાન એક અલગ દેશની જેમ રહેશે. બાબા રામદેવે કહ્યું કે આવનારા સમયમાં ભારત એક મહાસત્તા તરીકે ઉભરશે.

આ પણ વાંચોઃ રાજસ્થાની પાઘડી, ક્રિમ કલરનો કુર્તો અને સફેદ શાલ, PM મોદીની નવી સ્ટાઇલ બની આકર્ષણનું કેન્દ્ર

બાબા રામદેવે કહ્યું કે, દુનિયાની રાજનીતિમાં ઘણું બધું ચાલી રહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન તરફથી નાપાક પ્રવૃત્તિઓ થઈ રહી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનું ભારતમાં વિલય થશે. બલૂચિસ્તાન અલગ દેશ બનશે. પંજાબ અને સિંધ પ્રાંતમાં પણ ભારત સાથે વિલીનને લઈને રેસ ચાલી રહી છે. ચાર ટુકડા સાથે પાકિસ્તાન એક જ દેશ રહેશે. હવે અફઘાનિસ્તાન પણ તાલિબાનથી સુરક્ષિત નથી. પાકિસ્તાનના ત્રણ ભાગો ભારતમાં જોડાવાથી અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થશે.



સનાતન ધર્મને બદનામ કરવા માટે દેશમાં ધાર્મિક આતંકવાદ ચાલી રહ્યો છે
રામદેવે રામચરિતમાનસ અને બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં સનાતન ધર્મને બદનામ કરવા માટે ધાર્મિક આતંકવાદ ચાલી રહ્યો છે. ક્યારેક સનાતન ધર્મ તો ક્યારેક આપણા મહાપુરુષોના ચારિત્ર્ય પર વિવિધ રીતે આક્ષેપ કરવામાં આવે છે. આ લોકો ભારત વિરોધી અને રાષ્ટ્ર વિરોધી છે. આ બધુ આંતરરાષ્ટ્રીય શક્તિના ઈશારે ષડયંત્ર હેઠળ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે પાખંડીઓ જે બોલ બાલા છે તેને ક્યારેય આપણે ધર્મ-સંસ્કૃતિ નથી માની.
First published:

Tags: Pok, Ramdev, Republic Day 2023

विज्ञापन