ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આઠ મુખ્ય કેબિનેટ સમિતિઓની પુનર્રચના કરી છે. આ સમિતિઓમાં, એપોઇન્ટમેન્ટ કમિટિ, સમાયોજન સમિતિ, આર્થિક બાબતોની સમિતિ, સંસદીય બાબતોની સમિતિ, રાજકીય બાબતોની સમિતિ, સુરક્ષા સમિતિ, રોકાણ તેમજ વિકાસ સમિતિ અને રોજગાર તેમજ કૌશલ વિકાસ સમિતિનો સમાવેશ થાય છે.
પુર્નગઠન બાદ તમામ સમિતિઓ સાથે ગૃહ મંત્રી અમિત શાહે મુલાકાત કરી હતી. ગૃહ મંત્રી અમિત શાહને તમામ સમિતિઓના સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે વડાપ્રધાન મોદી નિવાસ (સમાયોજન) સમિતિ અને સંસદીય બાબતોની સમિતિ સિવાય તમામમાં સભ્ય છે.
એપોઇન્ટમેન્ટ સમિતિમાં પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સામેલ છે, જ્યારે નિવાસ સમિતિ તેમજ રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને રેલ મંત્રી પીયૂષ ગોયલ સામેલ છે.
રોજગારી તેમજ કૌશલ વિકાસ સમિતિમાં પીએમ મોદી, અમિત શાહ, નિર્મલા સીતારમણ, નરેન્દ્રસિંહ તોમર, પીયૂષ ગોયલ, રમેશ પોખરિયાલ નિશંક, ધર્મેન્દ્ર પ્રધાન, મહેન્દ્રનાથ પાંડેય, સંતોષ કુમાર ગંગવાર અને હરદીપસિંહ સામેલ છે.
નોંધનીય છે કે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ 253 બેઠક સાથે સત્તા પર આવી છે. નવા કેબિનેટના સભ્યોએ 30મી મેના રોજ શપથ લીધા હતા, તેમજ આગલા દિવસે કારભાર સંભાળી લીધો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર