વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વરસો સુધી રામલલલા ટેન્ટમાં રહ્યા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે. પીએમ મોદીએ કહ્યું કે, ગુલામીના કાળખંડમાં આઝાદી માટે આંદોલન થયા છે, 15 ઓગસ્ટનો દિવસ તે આંદોલન અને શહીદોની ભાવવાનો પ્રતીક દિવસ છે. ઠીક એવી જ રીતે રામ મંદિર માટે અનેક-અનેક સદીઓ સુધી પેઢીઓએ પ્રયાસ કર્યા છે. આજનો આ દિવસ તે તમામ તપ-સંકલ્પનું પ્રતીક છે. રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ-તર્પણ-સંઘર્ષ સંકલ્પ હતો.