ભારત,પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક દિવસ ફરી થશે એકઃરામ માધવ
ભારત,પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક દિવસ ફરી થશે એકઃરામ માધવ
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી ભાજપમાં આવેલા પાર્ટીના મહાસચિવ રામ માધવે કહ્યું કે આરએસએસનું માનવું છે કે, ભારત,પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક દિવસ ફરી એક થશે. પરંતુ યુદ્ધના માધ્યમથી નહીં
પરંતુ સદભાવનાના રસ્તાથી એક થશે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી ભાજપમાં આવેલા પાર્ટીના મહાસચિવ રામ માધવે કહ્યું કે આરએસએસનું માનવું છે કે, ભારત,પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક દિવસ ફરી એક થશે. પરંતુ યુદ્ધના માધ્યમથી નહીં
પરંતુ સદભાવનાના રસ્તાથી એક થશે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી ભાજપમાં આવેલા પાર્ટીના મહાસચિવ રામ માધવે કહ્યું કે આરએસએસનું માનવું છે કે, ભારત,પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક દિવસ ફરી એક થશે. પરંતુ યુદ્ધના માધ્યમથી નહીં
પરંતુ સદભાવનાના રસ્તાથી એક થશે.
તેમનું આ નિવેદન એ રાત્રે સામે આવ્યું જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાકિસ્તાનમાં પોતાના સમકક્ષ નવાજ સરીફને મળવા અચાનક લાહૌર ગયા હતા.રામ માધવે દોહાના ચૈનલ અલ જજીરાને કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને હજુ પણ વિશ્વાસ છે કે આ હિસ્સો જે 60 વર્ષ પહેલા ઐતિહાસિક કારણોથી અલગ થયો છે, લોકપ્રિય સદભાવનાના માધ્યમથી ફરી એક થશે અને અખંડ ભારત બનશે.
જો કે તેમણે એ સ્પષ્ટ કર્યું કે આનો મતલબ એ નથી કે અમે કોઇ દેશ સામે યુદ્ધ છેડીશું. અમે કોઇ દેશને આપણી સાથે લઇ લઇશું એ પણ યુદ્ધ વગર આપસી સંમતીથી આ થઇ શકે છે.આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ક્રિસમસના દિવસે પાકિસ્તાનની અચાનક યાત્રાથી સંભવિત પહેલા, લંડનમાં રેકોર્ડ થયો અને કાલે રાત્રે પ્રસારિત કરાયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર