કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે એ કહ્યું કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવા માટે હજું 10-15 વર્ષની રાહ જોવી પડશે. જો કે તેમણે કહ્યું કે, વડાપ્રધાન બનવાની મહાત્વાકાંક્ષા રાખવી એમાં કાંઇ ખોટુ નથી.
કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે એ કહ્યું કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવા માટે હજું 10-15 વર્ષની રાહ જોવી પડશે. જો કે તેમણે કહ્યું કે, વડાપ્રધાન બનવાની મહાત્વાકાંક્ષા રાખવી એમાં કાંઇ ખોટુ નથી.
કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે એ કહ્યું કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવા માટે હજું 10-15 વર્ષની રાહ જોવી પડશે. જો કે તેમણે કહ્યું કે, વડાપ્રધાન બનવાની મહાત્વાકાંક્ષા રાખવી એમાં કાંઇ ખોટુ નથી.
કર્ણાટકના ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન બનવાની ઇચ્છા પ્રગટ કરી હતી અને કહ્યું હતુ કે જો 2019માં કોંગ્રેસ સત્તા પર આવશે તો તેઓ વડાપ્રધાન બનશે. પણ નરેન્ર્દ મોદીની સરકારમાં કેબિનેટ મિનીસ્ટર રામદાસ આઠવલે કહે છે કે, રાહુલ ગાંધીને હજુ દસ-પંદર વર્ષની રાહ જોવી પડશે.
આઠવલેએ કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ 2019માં ફરી વખત કેન્દ્રમાં સત્તા પર આવશે. એટલુ જ નહીં, આઠવલેએ એમ કહ્યું કે, ભાજપ કર્ણાટકની ચૂંટણી જીતી જશે અને સત્તા હાંસલ કરશે. કોંગ્રેસ ભાજપને દલિત વિરોદી ચિતરી રહી છે પણ લોકો શાણા છે અને તેઓ નક્કી કરશે કે કોણ સાચુ છે.
રામદાસ આઠવલેએ ભીમકારેગાંવની મુલાકાત લીધી હતી અને આ હિંસામાં પુજા સાકેતનું ઘર સળગાવી દેવામાં આવ્યું હતુ તેની મુલાકાત લીધી હતી. પુજા આ હિંસાની સાક્ષી હતી અને તેની લાશ ગયા મહિને કુવામાંથી મળી હતી.
પુજાના કુંટુબીજનોએ આક્ષેપ કર્યો હતો કે, ક્યાં તો તેને મરવા મજબૂર કરી હતી અથવા તેની હત્યા થઇ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર